Chanakya Niti: જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ ચાણક્ય નીતિમાં જણાવવામાં આવ્યો છે. કોના પર વિશ્વાસ કરવો, દુશ્મનો પર કેવી રીતે જીત મેળવવી, એવા ઘણા વિષયો છે જેના પર આચાર્ય ચાણક્યએ પોતાના વિચારો શેર કર્યા છે. જે તમે અપનાવો તો હંમેશા સુખી જીવન જીવી શકો છો. ચાણક્યએ શત્રુઓ પર જીત મેળવવા માટે નિશ્ચિત નીતિ કહી છે. જેને અપનાવીને તમે દુશ્મનને સખત પાઠ ભણાવી શકો છો. ચાણક્યના મતે, આ શત્રુને સજા કરવાની એક એવી રીત છે, જેનો કોઈ અંત નથી. આવો જાણીએ ચાણક્યએ વિરોધીઓને કઈ કઠોર સજા બતાવી છે.


શત્રુને સજા કરવાનો સૌથી નિશ્ચિત માર્ગ એ છે કે હંમેશા ખુશ રહેવું - ચાણક્ય


આચાર્ય ચાણક્યએ આ કથન દ્વારા કહ્યું છે કે દુશ્મન ગમે તેટલો શક્તિશાળી હોય જો તે તમને પીડા આપી રહ્યો હોય તો તમારે તેની સામે ખુશ રહેવું જોઈએ. ચાણક્ય અનુસાર, આ દુશ્મન માટે એવી સજા છે જેનો કોઈ ઈલાજ નથી.


દુશ્મન પર જીત મેળવવાનો આ ચોક્કસ માર્ગ છે. જેમાં ન તો હથિયારોની જરૂર છે કે ન તો સાથીઓની. એકલા ખુશ રહીને તમે વિરોધીઓને એવી પીડા પહોંચાડશો જે તેના હૃદય પર સીધી અસર કરશે.


વિરોધી હંમેશા પોતાની દુશ્મની કાઢવવા માટે વ્યક્તિને મુશ્કેલીમાં જોવા માંગે છે, પરંતુ જો તમે તેની સામેની દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવાની કોશિશ કરશો તો તે તેના મોઢા પર થપ્પડ સમાન છે. આ સાથે તમારા માટે હાસ્યથી સમસ્યાનું નિરાકરણ કરવું પણ સરળ રહેશે કારણ કે તેનાથી વિરોધી નિરાશ થશે અને તેના માટે આ સૌથી મોટી સજા હશે.


જીવનમાં એવો સમય આવે છે જ્યારે કોઈ આપણને દગો આપે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ તેના નજીકના લોકોને સજા કરવા સક્ષમ નથી કારણ કે તે હૃદયની નજીક છે. આવા પ્રસંગોએ જો તમારે કોઈને પાઠ ભણાવવો હોય અને બદલો લેવો હોય તો તેની સામે હંમેશા તમારો મૂડ ખુશ રાખો. આમ કરવાથી તમે તેને જીવનભરની સજા આપી શકો છો.


 


Commonwealth Games 2022: ભારતીય મહિલા હોકી ટીમે કેનેડાને 3-2થી આપી હાર, સેમિફાઇનલમાં કર્યો પ્રવેશ


Gujarat Rain: ગુજરાતમાં ફરી ભારે વરસાદની કરાઇ આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ


Commonwealth Games 2022: ભારતીય પુરુષ હોકી ટીમે કેનેડાને કચડ્યું , 8-0થી મેળવી જીત


Commonwealth Games 2022: ભારતના ખાતામાં વધુ એક બ્રોન્ઝ, સૌરવ ઘોષાલે સ્ક્વોષની રમતમાં જીત્યો બ્રોન્ઝ મેડલ