Lunar Eclipse 2022 India: વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ થયું પૂર્ણ, ઈટાનગરમાં જોવા મળ્યું પૂર્ણ ચંદ્ર ગ્રહણ

Chandra Grahan 2022: આજે ચંદ્ર ગ્રહણ થઈ રહ્યું છે. આ વર્ષનું છેલ્લું ગ્રહણ છે. મેષ રાશિમાં આ ગ્રહણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 08 Nov 2022 06:48 PM
આવો નજારો હવે ત્રણ વર્ષ પછી 2025માં જોવા મળશે

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ પૂર્ણ થયું છે. ભારતમાં આ પૂર્ણ ચંદ્રગ્રહણ સૌપ્રથમ અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં જોવા મળ્યું હતું. આ પછી કોલકાતા, સિલીગુડી, પટના, રાંચી, ગુવાહાટીમાં પણ પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. જો કે, ભારતના ઘણા ભાગોમાં માત્ર આંશિક ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. ચંદ્રગ્રહણનો આવો નજારો હવે ત્રણ વર્ષ પછી 2025માં જોવા મળશે. આ ત્રણ વર્ષમાં આંશિક ચંદ્રગ્રહણ થશે પરંતુ પૂર્ણ ચંદ્રગ્રહણ 2025માં જોવા મળશે.

પટનામાં જોવા મળ્યું ચંદ્ર ગ્રહણ

બિહારના પટનામાં પણ ચંદ્ર ગ્રહણ જોવા મળ્યું છે. ફોટોમાં જોઈ શકાય છે કે, ચંદ્રનો અપડધો ભાગ ઢંકાઈ ગયો છે.





ઇટાનગરમાં પૂર્ણ ચંદ્ર ગ્રહણ

વિશ્વના ઘણા ભાગોમાં પૂર્ણ ચંદ્ર ગ્રહણ બાદ હવે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ ભારતમાં પણ શરૂ થયું છે. સૌથી પહેલા અરુણાચલ પ્રદેશના ઈટાનગરમાં ચંદ્ર ગ્રહણની શરૂઆત થઈ ગઈ છે. આ ચંદ્ર ગ્રહણ દિલ્હી અને મુંબઈ સહિત દેશના અનેક સ્થળોએ જોવા મળશે.

ચંદ્ર ગ્રહણમાં કરો આ મંત્રોનો જાપ

  • ॐ श्रां श्रीं श्रौं सः चन्द्रमसे नमः   

  • ॐ सों सोमाय नमः

  • ॐ चं चंद्रमस्यै नम:          

  • ॐ शीतांशु,विभांशु अमृतांशु नम:

  • ॐ ऐं क्लीं सौमाय नामाय नमः       

  • ऊं नम:शिवाय

  • श्री गणेशाय नम: 

  • ऊं नमो भगवते वासुदेवाय

  • ऊं रामदूताय नम:

  • दुं दुर्गायै नम:

  • कृं कृष्णाय नम:

  • रां रामाय नम:


Chandra Grahan 2022: ચંદ્ર ગ્રહણથી દરિયામાં કેવી રીતે ઉછળે છે મોજા ? જાણો વિગત

સિડનીમાં જોવા મળ્યો બ્લડ મૂન....ભારતમાં થોડા સમય પછી ગ્રહણ

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ચાલી રહ્યું છે અને આજે  સૌથી પહેલું ચંદ્ર ગ્રહણ પ્રશાંત મહાસાગરમાં જોવા મળ્યું હતું, ત્યારબાદ તે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ચીનમાં જોવા મળ્યું હતું. જ્યારે પૂર્ણ ચંદ્રગ્રહણ હતું ત્યારે ઘણી જગ્યાએ બ્લડ મૂન દેખાયો હતો.

ડાકોર પણ ગ્રહણના કારણે બંધ

ચંદ્ર ગ્રહણ ને લઈ બપોરે 1:00 વાગ્યાના અરસામાં મંદિર બંધ થઈ ગયા હતા જે સાંજે સાડા સાત વાગે ખુલશે ત્યારે દૂર દૂરથી ભક્તો રણછોડજીના દર્શન માટે આવતા હોય ચંદ્રગ્રહણને લઇ બપોરના સમયે દર્શન બંધ હોવાના કારણે મુખ્ય દ્વાર બહાર જ દર્શન કરી યથાશક્તિ લાવેલો પ્રસાદ ધરાવી ધન્યતા મેળવી હતી

બગદાણા અને ભગુડા માગલ ધામ ચંદ્રગ્રહણના કારણે બંધ પાળશે

ભાવનગરના સુપ્રસિદ્ધ બગદાણા આશ્રમ અને ભગુડા માગલ ધામમાં  ગ્રહણ મોક્ષ બાદ સાંજે દર્શન વિભાગ ખુલશે. ચંદ્રગ્રહણ હોવાના કારણે સવારના 5.39 મિનિટ (ગ્રહણ સ્પર્શ)થી સાંજે 6.19 મિનિટ (ગ્રહણ મોક્ષ) સુધી દર્શન વિભાગ સહિત બપોરની રાજભોગ આરતી પણ બંને જગ્યાએ બંધ રાખવામાં આવી છે. સાંજે 6:19 કલાકના ગ્રહણ મોક્ષ બાદ મંદિરને જળાભિષેક કર્યા બાદ સાંજે 7:00 કલાકે સંધ્યા આરતી થશે, ત્યારબાદ રાબેતા મુજબ બગદાણા અને ભગુડા માગલ ધામ મંદિરના દર્શન શરૂ રહેશે.

અંબાજી મંદિર ચંદ્ર ગ્રહણના કારણે બંધ

 ચંદ્રગ્રહણ હોવાથી આજે અંબાજી મંદિર સવારે 6.30 થી રાત્રે 9 વાગ્યા સુધી  બંધ રહેશે. શ્રી આરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા લેવાયો નિર્ણય.

સુરત ના અઠવાલાઇન્સ ખાતે આવેલ અંબાજી મંદિર બંધ

શાસ્ત્રો અનુસાર ગ્રહણ હોવાના કારણે કોઈપણ ધાર્મિક ગતિવિધિઓ અને પૂજાપાઠ બંધ રાખવામાં આવતું હોય છે.  ચંદ્ર ગ્રહણ હોવાથી વેહલી સવારે 6 વાગ્યે માતાજીની આરતી કરાઇ હતી. સુરતમાં શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું ધામ આજે રાત્રે 9 વાગ્યા સુધી બંધ રહેશે. મા અંબાના ધામે દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે આવી શીશ નમાવા આવતા હોય છે. દિવાળીમાં સૂર્ય ગ્રહણ હોવાના લીધે અંબાજી મંદિરને આખો દિવસ બંધ રાખવામાં આવ્યો હતો. 


 

કાનપુરમાં ચંદ્ર ગ્રહણને લઈ મંદિરના દ્વાર બંધ

બ્રેકગ્રાઉન્ડ

Chandra Grahan 2022: ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો 12 કલાક પહેલા શરૂ થાય છે જે ગ્રહણના અંત સાથે સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં સુતક લાગુ થાય તે પહેલા દેવ દિવાળી ઉજવવામાં આવશે. સુતક 8મી નવેમ્બર 2022ના રોજ સવારે 5:53 કલાકથી શરૂ થયું છે. ગ્રહણ સાંજે 5.53 કલાકે દેખાશે અને 6.19 કલાકે સમાપ્ત થશે.


ભારતના કયા કયા રાજ્યોમાં ચંદ્રગ્રહણ દેખાશે


આસામ, મેઘાલય, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ ઉપરાંત પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ ભારતના અન્ય તમામ વિસ્તારો ખંડગ્રાસના રૂપમાં દેખાશે.


ભારત સિવાય આ દેશોમાં પણ દેખાશે ચંદ્રગ્રહણ


બાંગ્લાદેશ, મધ્ય અને પૂર્વ નેપાળ, ગ્રીનલેન્ડ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, કેનેડા, મેક્સિકો, અલાસ્કા, એન્ટાર્કટિકા, ન્યુઝીલેન્ડ તરફનો ઉત્તર પ્રદેશ, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ, મ્યાનમાર, કોરિયા, જાપાન, ચીન, મંગોલિયા, રશિયા, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, પાકિસ્તાન, ઓમાન, ઈરાન, અફઘાનિસ્તાન, ફિનલેન્ડ, ઉત્તરી સ્વીડન, આઈસલેન્ડ વગેરે દેશોમાં પણ ચંદ્રગ્રહણ દેખાશે.


ચંદ્રગ્રહણ પર કરો આ ઉપાયો


ચંદ્રગ્રહણ દરમિયાન આ ઉપાયો કરવાથી કોઈ પણ પ્રકારની આડ અસર થશે નહીં. તમામ રાશિના લોકોને સુખ, સમૃદ્ધિ મળશે અને તેમના જીવનમાંથી માનસિક તણાવ દૂર થશે. જાણો ઉપાય-



  • સુતક દરમિયાન ઘરની અંદરના દરવાજા અને બારીઓને પડદાથી ઢાંકી દો.

  • ગ્રહણ દરમિયાન બિનજરૂરી બોલવાનું ટાળો.ભગવાનનું ધ્યાન કરો, તમારા પ્રમુખ દેવતાના મંત્રોનો જાપ કરો. જેથી તેની અસરને ઘણી હદ સુધી શાંત કરી શકાય.

  • ચંદ્ર મંત્ર, ભોલેનાથ શિવ અને ગાયત્રી મંત્રનો જાપ શ્રેષ્ઠ રહેશે.પરંતુ મૂર્તિઓ, મૂર્તિઓને સ્પર્શ કરશો નહીં.

  • જો સૂતક પહેલા ભોજન બનાવવું હોય તો તેમાં તુલસીના પાન નાખો.

  • સગર્ભા સ્ત્રીઓએ ઘર બહાર નીકળવું જોઈએ નહીં. ઉપરાંત સોય, આકર્ષક વસ્તુઓનો ઉપયોગ કરશો નહીં.

  • ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરો અને નવા વસ્ત્રો પહેરો.તમારા પૂર્વજોને યાદ કરો, દાન કરો, ગરીબોને ભોજન કરાવો.

  • સુતક કાળ પૂરો થયા પછી મંદિરની સફાઈ કરો, આખા ઘરમાં અને મંદિરમાં ગંગાજળનો છંટકાવ કરો.


ચંદ્ર ગ્રહણ દરમિયાન આ કામ ન કરવું



  • ચંદ્ર ગ્રહણનો સુતક 9 કલાક પહેલા શરૂ થાય છે. આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.

  • ગ્રહણના સમયગાળા દરમિયાન તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ. સુતક લગાવતા પહેલા તુલસીના પાન તોડી લો.

  • સૂતક કાળ અથવા ગ્રહણ દરમિયાન કંઈપણ ખાવા-પીવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની યાત્રા કરવાનું ટાળો.

  • સગર્ભા સ્ત્રીઓને ગ્રહણ અને સૂતકના સમયગાળા દરમિયાન ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે.

  • ગર્ભવતી મહિલાઓએ કોઈપણ સંજોગોમાં ગ્રહણ જોવાનું ટાળવું જોઈએ. ગ્રહણ દરમિયાન સૂવું પ્રતિબંધિત છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.