Navratri 2022: નવરાત્રી મુખ્યત્વે વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે. એક ચૈત્ર માસમાં અને બીજી આસો માસમાં. પંચાંગ અનુસાર શારદીય નવરાત્રિ દર વર્ષે આસો સુદ એકમની તિથિથી શરૂ થાય છે અને દશમા તિથિના દિવસે દેવી દુર્ગાની મૂર્તિના વિસર્જન સાથે સમાપ્ત થાય છે. આ વખતે શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 5 ઓક્ટોબર 2022ના રોજ સમાપ્ત થશે.


શારદીય નવરાત્રી  શા માટે ઉજવવામાં આવે છે?


હિંદુ ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલ કથાઓ અનુસાર, શક્તિના પ્રમુખ દેવતા દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો અને આસુરી શક્તિઓનો નાશ કર્યો. જ્યારે દેવી દુર્ગાએ મહિષાસુર પર આક્રમણ કર્યું ત્યારે તેની સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું અને દસમા દિવસે તેને મારી નાખ્યો. તે સમય આસો માસનો હતો. તેથી, આસો મહિનાના આ નવ દિવસો શક્તિની ઉપાસના માટે સમર્પિત હતા. પંચાંગ અનુસાર, શરદ ઋતુ પણ આસો મહિનામાં શરૂ થાય છે, તેથી તેને શારદીય નવરાત્રી કહેવામાં આવે છે. શારદીય નવરાત્રીનો 10મો દિવસ વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે.


જાણો નવરાત્રીની ઉજવણીનો ઈતિહાસ


નવરાત્રીની ઉજવણી પાછળ અનેક દંતકથાઓ છે. એક દંતકથા અનુસાર, માતા દુર્ગાએ નવ દિવસ સુધી મહિષાસુર નામના રાક્ષસ સાથે યુદ્ધ કર્યું અને પછી નવમીની રાત્રે તેનો વધ કર્યો. ત્યારથી દેવી 'મહિષાસુરમર્દિની' તરીકે ઓળખાય છે.  આ સમયથી માતા દુર્ગાની શક્તિને સમર્પિત નવરાત્રીના ઉપવાસનું પાલન કરતી વખતે તેમના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.


બીજી દંતકથા અનુસાર, ભગવાન શ્રી રામે બુરાઈઓથી ભરેલા રાવણનો વધ કર્યો અને સારાપણાનો વિનાશ થતો અટકાવ્યો. આ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે નારદે શ્રી રામને નવરાત્રી અનુષ્ઠાન કરવા વિનંતી કરી. જે બાદ ભગવાન શ્રી રામે વ્રત પૂર્ણ કર્યા પછી લંકા પર હુમલો કર્યો અને રાવણનો વધ કર્યો. ત્યારથી સિદ્ધિ માટે નવરાત્રી ઉપવાસ કરવામાં આવે છે.


Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


આ પણ વાંચોઃ


Navratri Puja 2022: આ વર્ષે દેવી હાથી પર સવાર થઈને આવશે, જાણો ઘટસ્થાપનનું મુહૂર્ત


Navratri 2022 Puja: નવરાત્રીમાં 9 રંગોનું છે વિશેષ મહત્વ, જાણો માતાજીને કયા નોરતે કયો રંગ છે પસંદ