Diesel Cars: હાલમાં ભારતમાં વધતી જતી વસ્તી અને વાહનોના વધારા સાથે વાયુ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. આને ધ્યાનમાં રાખીને એનર્જી ટ્રાન્ઝિશન એડવાઇઝરી કમિટીએ 2027 સુધીમાં તમામ ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. આ પ્રતિબંધનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાનો છે.


કયા શહેરોમાં આ પ્રતિબંધ લાગુ કરવામાં આવશે?


સરકારનો આ પ્રસ્તાવ એવા શહેરોમાં જ લાગુ કરવામાં આવશે જ્યાં પ્રદૂષણનું સ્તર વધારે છે અને વસ્તી 10 લાખથી વધુ છે. આ સાથે 10 વર્ષથી જૂના ડીઝલ વાહનોને પણ આ પ્રતિબંધના દાયરામાં લાવવાની વિચારણા કરવામાં આવી રહી છે. આ પ્રતિબંધ પેટ્રોલ પર ચાલતા કેટલાક વાહનો પર પણ લાગુ થઈ શકે છે.




ડીઝલ કાર પર પ્રતિબંધની અસર


ભારતમાં ડીઝલનો ઉપયોગ કુલ ઈંધણના બે-પાંચમા ભાગનો છે, જેમાંથી 80 ટકાનો ઉપયોગ થાય છે. વર્ષ 2013માં ડીઝલ કારનું વેચાણ દેશના કુલ પેસેન્જર વાહનોના વેચાણના 48 ટકા હતું, પરંતુ 2021-22 સુધીમાં તે ઘટીને 20 ટકાથી પણ ઓછું થઈ ગયું છે. જો ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવે તો ઓટોમોબાઈલ ઉદ્યોગ પર તેની ઊંડી અસર પડશે. ઘણા કાર ઉત્પાદકોએ BS VI ધોરણો હેઠળ ડીઝલ એન્જિનમાં રોકાણ કર્યું છે, જે આ પ્રતિબંધ પછી નકામી બની શકે છે.


ડીઝલ વાહનો પર પ્રતિબંધનું કારણ


ડીઝલ વાહનો નાઈટ્રોજન ઓક્સાઈડ અને અન્ય હાનિકારક પદાર્થોનું ઉત્સર્જન કરે છે, જે વાયુ પ્રદૂષણમાં વધારો કરે છે. આ જમીન અને પાણીની ગુણવત્તાને પણ અસર કરે છે. સરકાર ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે નીતિઓ બનાવી રહી છે અને તેના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસાવી રહી છે. ઈલેક્ટ્રીક વાહનોથી દેશની ઓઈલની આયાત ઘટશે અને વાયુ પ્રદુષણમાં સુધારો થશે. 


તમારે ડીઝલ કાર ખરીદવી જોઈએ?


જો તમે ડીઝલ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે આગામી સમયમાં આ પ્રતિબંધ લાગુ થઈ શકે છે. હાલમાં જ રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ પણ ડીઝલ કારના ઉત્પાદકોને આ કારોનું ઉત્પાદન બંધ કરવાની ચેતવણી આપી છે. 


આ પણ વાંચો : 20 હજાર રૂપિયા સસ્તું થયું Tata Punch નું આ વેરિયન્ટ! નવા મોડલમાં ઘણા બદલાવ જોવા મળશે


Car loan Information:

Calculate Car Loan EMI