નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરશે. આ બજેટમાં દેશની બગડતી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે ઘણા પગલાઓ ઉઠાવવાની સંભાવનાઓ છે. સામાન્ય કરદાતાઓને આ બજેટથી ઘણી અપેક્ષાઓ છે, કારણ કે સરકાર ઈનકમ ટેક્સમાં છૂટમાં વધારો કરી શકે છે. ઈનકમ ટેક્સ, ડાયરેક્ટ ટેક્સ અને જીએસટીની હાલની પરિસ્થિતિ શું છે અને સરકાર બજેટમાં તેનું શું સમાધાન કરી શકે છે.


ઈનકમ ટેક્સનો હાલનો સ્લેબ
50 લાખ સુધી - 0%

5 લાખ સુધી - 5%

5 લાખથી 10 લાખ સુધી -20%

10 લાખ ઉપર 30%

ઈનકમ ટેક્સ સ્લેબમાં બદલાવની અટકળો શું છે?
2.50 લાખ સુધી - 0%
2.50 લાખથી 10 લાખ સુધી -10 %

10 લાખથી 20 લાખ સુધી -20 %

20લાખથી 2 કરોડ સુધી -30 %

2 કરોડથી વધુ- 35 %

ડાયરેક્ટ ટેક્સ સમસ્યા શું છે?
20 વર્ષમાં પ્રથમ વખત કલેક્શનમાં ઘટાડાનો અંદાજ
માર્ચ સુધી 13.50 લાખ કરોડ ટેક્સ વસૂલવાનો લક્ષ્ય

23 જાન્યુઆરી સુધી 7.30 લાખ કરોડ ટેક્સ વસૂલે

આઈસીઆરસીનું અનુમાન 3.50 લાખ કરોડ સુધી ઓછો ટેક્સ મળશે.

સમાધાન શું છે?
137 કરોડ જનસંખ્યામાં માત્ર 5.52 કરોડ કરદાતા.
સરકાર વધારો કરશે તો ટેક્સ કલેક્શનમાં વધારો થશે

GST સમસ્યા શું છે?
5 લાખ કરોડ ઓછી આવક -નાણા વિભાગ
40 ટકા જીએસટી કલેક્શન બરાબર છે 5 લાખ કરોડ રૂપિયા
દાવો છે કે 40 હજાર કરોડ કંપનીઓ જીએસટીમાં ગોટાળા કરી રહી છે.

જીએસટી ચોરીના મામલાએ સરકારની મુશ્કેલી વધારી છે.

સમાધાન શું છે.
નકલી જીએસટી રિફન્ડ રોકવા પર ભાર મુકે સરકાર
જીએસટી ભરવા માટે પ્રોત્સાહિત કરે સરકાર.