બેન્ક-પોસ્ટ ઓફિસમાંથી ઉપાડી શકાશે 2 લાખથી વધુ રોકડ, CBDTએ કરી સ્પષ્ટતા
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આઇટી એક્ટના સેક્શન 269ST બેન્ક અને પોસ્ટ ઓફિસની બાબતમાં લાગુ નહિ પડે. આ સેક્શન હાલમાં જ જોડવામાં આવ્યું છે. સીબીડીટીએ જણાવ્યું છે કે આ નિયમ બેન્ક, પોસ્ટ ઓફિસ અને કોઓપરેટિવ બેન્કોના સેવિંગ એકાઉન્ટ પર લાગુ નહિ પડે. તેને લગતું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફાઇનાન્સ એક્ટ 2017માં ફેરફાર કરીને રૂપિયા 2 લાખથી વધારે કેશ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તેનાથી વધારે કેશ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે તો જેટલીવધુ રકમનું ટ્રાન્ઝેક્શન થયું હોય તેટલી રકમના દંડની જોગવાઇ કરવામાં આવી છે. આ પેનલ્ટી કેશ આપનાર પર લગાવવામાં આવી છે.
નવી દિલ્હીઃ 2 લાખ રૂપિયાથી વધારેની રોકડ લેવડ દેવડ પર લાગેલ પ્રતિબંધ બેંક અને પોસ્ટ ઓફિસ બચત ખાતામાંથી ઉપાડવા પર લાગુ નહીં થાય. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) બુધવારે આ જાણકારી આપી છે. નાણાં બિલ-2017 દ્વારા સરકારે બે લાખ રૂપિયાથી વધારેની રોકડ લેવડ દેવડ પર પ્રતિબંધ લગાવ્યો છે. બે લાખ રૂપિયાથી વધારેની રોકડ લેનાર પર 100 ટકા દંડ લગાવવાની જોગવાઈ પણ સરકારે કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -