✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સેવિંગ-સેલેરી એકાઉન્ટમાંથી નાણાં જમા કરાવો કે ઉપાડો તો લાગશે રૂપિયા 150 સુધી ચાર્જ, જાણો ક્યારથી અમલની શક્યતા?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Feb 2017 01:03 PM (IST)
1

હાલમાં જ ખાનગી ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક એચડીએફસી બેંકે રોકડ સાથે જોડાયેલ કેટલાક ટ્રાન્ઝેક્શન માટે બચત ખાતાધારકો માટેના ચાર્જમાં ઉલ્લેખનીય વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ રોકડ ટ્રાન્ઝેક્શન પ્રત્યે લોકોને હતોસ્હાતિ કરવાનો એક પ્રયત્ન છે. સરકાર નોટબંધી બાદ લોકોને કેશલેસ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રોત્સાહિત કરી રહી છે. આમ બેંકનો આ નિર્ણય ઘણો મહત્ત્વપૂર્ણ છે. બેંકના એક અધિકારીએ જણાવ્યું હતું કે, એચડીએફસી બેંકે એક માર્ચથી કેટલાક ટ્રાન્ઝેક્સન પર ચાર્જ વધારવાનો નિર્ણય કર્યો છે. સાથે જ અન્ય કેસમાં રોકડની મર્યાદા નક્કી કરવા અને કેટલાક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લગાવવાન નિર્ણય કર્યો છે. બેંકની વેબસાઈટડ અનુસાર થર્ડ પાર્ટી લેવડ દેવડ 25,000 હજાર રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવે છે.

2

નવી દિલ્હીઃ નોટબંધીનો માર સહન કરીને બેઠેલા લોકોને હજુ રાહત મળી નથી એવામાં હવે પગાર અને બચત ખાતાધારકો માટે ખાતામાં રૂપિયા જમા કરાવવા અને ઉપાડવાની માસિક જે મર્યાદા છે તેમાં ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા દર્શાવામાં આવી રહી છે. ઉપરાંત મર્યાદાથી વધારે વખત કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન પર જે ચાર્જ હાલમાં લેવામાં આવે છે તેમાં વધારો પણ થઈ શકે છે.

3

90 દિવસની નોટબંધીમાં હજુયે શહેરની મોટા ભાગની સરકારી અને સહકારી બેંકોમાંથી બચત ખાતેધારકોને કેન્દ્વ દ્વારા નક્કી કરવામાં આવેલ મર્યાદા 24 હજાર રૂપિયા પણ એકવારમાં મળતી નથી તથા તેની સાથે એટીએમ પણ યોગ્ય રીતે કાર્યરત થયા નથી એવામાં બચત અને પગારદાર વર્ગના ખાતામાં રૂપિયા જમા કરાવવા તેમજ ઉપાડવાની લિમિટ 4 વખત 1લી માર્ચથી નક્કી કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

4

ઉપરાંત પાંચમી વખત બેંકમાંથી રૂપિયા ઉપાડવા પર 150 રૂપિયા ચાર્જ લાગી શકે તેવી શક્યતા છે. એવામાં શહેરની એક સરકારી બેંકના ઉચ્ચ અધિકારી સાથે થયેલી વાતચીતમાં આ મુદ્દે પૂછતાં તેમણે જ્ણાવ્યું હતું કે હાલમાં આ મુદ્દે આરબીઆઇ તરફથી કોઇ સૂચન કે નોટીફિકેશન મળ્યું નથી પણ નિયમનું અમલીકરણ શક્ય બની શકે છે.

5

નોટબંધીના કારણે લોકો હજુ પણ ડીજીટલ પેમેન્ટ કરતાં નથી થયા અને રોકડ ઉપાડવાની હોડ હજુ પણ લોકોમાં જોવા મળે છે જેના કારણે ડીજીટલ પેમેન્ટ તરફ લોકોને વાળવા માટે શક્ય છે કે પાંચમી વખતથી રૂપિયા ઉપાડવા સામે 150 રૂપિયા ચાર્જ લાગી શકશે. ઉપરાંત અન્ય ખાતામાં પણ ચાર વખતથી વધુ રૂપિયા જમા કરાવવા પર દર હજારે 5 રૂપિયાનો ચાર્જ અમલમાં આવી શકે છે.

6

સાથે જ શાખામાં ફ્રી ટ્રાન્ઝેક્શનની સંખ્યા પાંચથી ઘટાડીને ચાર કરવામાં આવી છે અને ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ કોઈપણ કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન માટેનો ચાર્જ 50 ટકા વધારીને 150 રૂપિયા કરવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે, આ પહેલા દરરોજ રોકડ ઉપાડ અને જમા બન્નેમાં 50 હજાર રોકડ લેવડ દેવડની મંજૂરી હતી. આ નવા દર માત્ર બચત અને પગારદાર ખાતા ધારકો માટે જ છે. સાથે જ બેંકે પોતાની શાખાઓમાં ફ્રી રોકડ લેવડ દેવડને બે લાખ રૂપિયા સુધી મર્યાદિત કરી દીધી છે. તેમાં જમા અને ઉપાડ બન્ને સામેલ છે. તેનાથી વધારે જમા ઉપાડ કરવા પર ગ્રાહકોએ ઓછામાં ઓછા 150 રૂપિયા અથવા 5 રૂપિયા પ્રતિ હજાર ચૂકવવા પડશે. જ્યારે અન્ય શાખામાં ફ્રી લેવડ દેવડ 25,000 રૂપિયા છે. ત્યાર એવી જ રીતે ચાર્જ લાગશે.

7

જ્યારે દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંક ICICIની વેબસાઈટ પર આ સંબંધમાં જાણકારી આપવામાં આવી છે. બંકની વેબસાઇટ અનુસાર ચાર ટ્રાન્ઝેક્શનથી વધારરે ટ્રાન્ઝેક્શન કરવા પર ઓછામાં ઓછા 150 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચૂકવવા પડશે. એક્સિસ બેંક પણ દર મહિને એક લાખ રૂપિયાથી વધારે રકમ જમા કરાવવા અથવા પાંચમી વખત ઉપાડ કરવા પર 150 રૂપિયા અથવા પ્રતિ હજાર 5 રૂપિયા ચાર્જ કરશે.

  • હોમ
  • બિઝનેસ
  • સેવિંગ-સેલેરી એકાઉન્ટમાંથી નાણાં જમા કરાવો કે ઉપાડો તો લાગશે રૂપિયા 150 સુધી ચાર્જ, જાણો ક્યારથી અમલની શક્યતા?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.