પેટ્રોલ-ડીઝલ પર મોટો નિર્ણય, મળી શકે છે રાહત!
પૂર્વ નાણાં મંત્રી પી. ચિદંબરમે ઉચ્ચ સદનમાં પુછ્યું હતું કે ‘હવે ભાજપની 19 રાજ્યોમાં અને કેન્દ્રમાં સરકાર છે. તો પછી પેટ્રોલિયમ પ્રોડક્ટસને જીએસટી વ્યવસ્થામાં લાવવા માટે કઈ વાતની મુશ્કેલી છે. જીએસટી કાઉન્સિલ આ મામલે નિર્ણય ક્યારે લેશે?’ આ પ્રશ્નના જવાબમાં જેટલીએ કહ્યું કે, ‘જીએસટીનો ડ્રાફ્ટ રજૂ કરતી વખતે યુપીએ એ પણ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો સમાવેશ નહોતો કર્યો. તેનું કારણ હતું કે તેની પર કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સહમતિ નહીં બને. આ મુદ્દા પર અમે રાજ્યોની સહમતિની રાહ જોઈ રહ્યા છીએ અને આશા છે કે આ દિશામાં જલદી સફળતા મળશે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરૂણ જેટલીએ રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન જવાબ આપતા જણાવ્યું કે જીએસટીમાં જે સુધારો કરવામાં આવ્યો છે તેમાં પેટ્રોલનો સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ તેને લાગુ કરવાનો નિર્ણય જીએસટી પરિષદ કરશે. તેમણે કહ્યું જીએસટી પરિષદમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણામંત્રીઓ સામેલ થાય છે અને તમામની સહમતિથી નિર્ણય લેવાનો હોય છે.
નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ ડીઝલની મોંઘવારીથી કેન્દ્ર સરકાર જલદી ગ્રાહકોને રાહત આપી શકે છે. નાણામંત્રી અરૂણ જેટલીએ મંગળવારે રાજયસભામાં કહ્યું કે સરકાર પેટ્રોલ-ડીઝલને જીએસટી અંતર્ગત લાવવાના પક્ષમાં છે પરંતુ તેનો નિર્ણય જીએસટી પરિષદ કરશે. પેટ્રોલિયમ પદાર્થો જીએસટીમાં શામેલ થવા પર તેના ભાવ પર સીધી અસર થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -