✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

10 ટકા મોંઘો થશે રેલવે પ્રવાસ, ભાડા વધારવાની આ પાંચ રીત પર પ્રભુ કરી રહ્યા છે વિચાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 May 2017 06:54 AM (IST)
1

રેલવેને હાલ યાત્રી ભાડાંથી લગભગ ૪પ,૦૦૦ કરોડ રૂપિયાની આવક થાય છે. ૧૦ ટકા ભાડું વધારવામાં આવે તો વધુ ૪પ,૦૦ કરોડની વધારાની કમાણી થશે. આ પ્રસ્તાવમાં ભાડું પાંચ ટકા વધારવાની વાત છે. સેકન્ડ કલાસના યાત્રીઓ પર બોજો નાખવામાં ન આવે તેવી ભલામણ પણ તેમાં કરાઈ છે.

2

ફલેકસી ફેયર હટાવવાની પણ વિચારણા છે. જોકે, રેલવેને આનાથી વર્ષે લગભગ ૬૦૦ કરોડનો ફાયદો થઇ રહ્યો છે પરંતુ આના કારણે તેને લોકોની નારાજગી પણ સહન કરવી પડી છે. બોર્ડના સૂત્રોનું કહેવું છે કે ફલેકસી ફેયરને સંપૂર્ણ રીતે હટાવવામાં આવે કે પછી તેને ઘટાડવા આવે એટલે કે ૧૦ ટકા બેઠક પર ૧૦ ટકા ભાડું વધારવાને બદલે પાંચ ટકા વધારવામાં આવે. ફલેકસી ફેયર સમાપ્ત કરવામાં આવે તો તમામ પ્રકારની તમામ શ્રેણીમાં ૧૦ ટકા ભાડુ વધારવાની ભલામણ પણ છે.

3

અન્ય પ્રસ્તાવોમાં રાજધાની, શતાબ્દી તથા દુરન્તો ટ્રેનોમાં ફલેકસી ફેયરને સમાપ્ત કરવા કે ઘટાડવાનો પણ અનુરોધ કરાયો છે. રેલ્વે બોર્ડના એક ટોચના ઓફિસરના જણાવ્યા પ્રમાણે, બોર્ડ સમક્ષ ભાડાં વધારવાને લગતા પાંચ પ્રસ્તાવ આવ્યા છે. તેનો હેતુ રેલવેને ભાડાંથી થતી આવકમાં વધારો કરવાની છે. રેલવે માને છે કે ક્રમશ: ભાવ વધારવાથી વર્ષભરમાં ભાડાંમાં ૧પ ટકા જેટલો વધારો થઈ શકે છે.

4

આંકડાઓ જોઇએ તો રેલવેને થર્ડ કલાસ ઉપરાંત દરેક કલાસમાં ખોટ જાય છે એટલે કે એસી ચેરકારમાં તેના દરેક મુસાફર પર ખર્ચ એક રૂપિયો ૧૩ પૈસા આવે છે પરંતુ આવક એક રૂપિયો ચાર પૈસા થાય છે તો થર્ડ કલાસ એસીમાં આ ખર્ચ ૯૩ પૈસા થાય છે અને આવક ૧ રૂપિયો ૪ પૈસા થાય છે. તેથી થર્ડ એસી બાદ કરતા બાકી વર્ગમાં કમાણી કરવાની રીત શોધવાની પણ ચર્ચા છે.

5

નવી દિલ્હીઃ ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓને મોટો ઝાટકો લાગી શકે છે. રેલવે પોતાની કમાણી વધારવા માટે પ્રવાસી ભાડામાં 10 ટકા સુધી વધારો કરી શકે છે. તેના માટે રેલવેની પાસે પાંચ પ્રકારની દરખાસ્ત આવી છે. જોકે, ભાડામાં વધારાને લઈને આખરી નિર્ણય રેલવેમંત્રી સુરેશ પ્રભુએ કરવાનો છે. રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, દર મહિને એક ટકા અથવા એક સાથે 10 ટકા ભાડું વધારવા જેવા 5 ભલામણો મળી છે.

  • હોમ
  • બિઝનેસ
  • 10 ટકા મોંઘો થશે રેલવે પ્રવાસ, ભાડા વધારવાની આ પાંચ રીત પર પ્રભુ કરી રહ્યા છે વિચાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.