RILની સફળતા ધીરૂભાઈને સમર્પિત, વિશ્વની ટોપ 20 કંપનીમાં કરીશું સામેલઃ મુકેશ અંબાણી
RILના ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સને વિશ્વની ટોપ-20 કંપનીમાં સામેલ કરવાના વિઝનને રેખાંકિત કરતાં કહ્યું, આજે હું જે કંઈ છું તે માત્ર રિલાયન્સના કારણે જ છું. શું રિલાયન્સ વિશ્વની ટોપ-20 કંપનીમાં સામેલ થઈ શકે છે? હા આપણે કરી શકીએ છીએ અને આપણે કરીશું. આગામી દાયકામાં વિશ્વ ક્લીન એનર્જી તરફ આગળ વધશે. શું રિલાયન્સ ક્લીન એનર્જી પ્રોવાઇડર્સમાં લીડર બની શકે છે? હા આપણે કરી શકીએ છીએ અને આપણે કરીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડના જાણીતા અભિનેતા અમિતાભ બચ્ચને કહ્યું કે, ધીરુભાઈનું જીવન ગીતા ઉપદેશ જેવું છે. ધીરુભાઈ અંબાણી કર્મયોગી હતા. તેઓ કર્મને જ ધર્મ નામતા હતા. ધીરુભાઈ જ્ઞાનને જ ઈશ્વર માનતા હતા. તેમણે ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિને જન્મ આપ્યો.
મુકેશ અંબાણીએ આગળ કહ્યું કે, મેં મારા પિતા પાસેથી સૌથી મહત્વપૂર્ણ પાઠ સાહસનો ભણ્યો છે. તેના વગર કંઈપણ હાંસલ કરી શકાય નહીં. મુકેશ અંબાણીના માતા અને ધીરૂભાઈના પત્ની કોકિલાબેને કહ્યું કે, ધીરૂભાઈ આજે આરઆઈએલનો ગ્રોથ જોઈને ખુશ હશે. આજે ઉપરથી પણ તેઓ આશિર્વાદ આપતા હશે. ધીરૂભાઈ આજે કહેતા હશે વાહ કરી લીધી દુનિયા મુઠ્ઠીમાં. આરઆઈએલ 100 વર્ષ નહીં 1000 વર્ષ જીવે તેવી મારી શુભકામના.
જિઓનો ઉલ્લેખ કરી અંબાણીએ કહ્યું કે, જિઓ અને રિટેલની સાથે રિલાયન્સે ભારતમાં નવી નેતૃત્વકારી સ્થિતિ બનાવી છે. અમે ગ્રાહકો માટે સમર્પિત છીએ. આપણે સ્વર્ણિમ દાયકામાં પ્રવેશ કરી રહ્યા છીએ. રિલાયન્સ એવી ખાસ સ્થિતિમાં છે જે અંગે વિશ્વની કેટલીક કંપનીઓ જ સપનું જોઈ શકે છે.
એક શહેરથી શરૂ થયેલો કંપનીનો કારોબાર સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચૂક્યો છે. 1 થી શરૂ થયેલી કંપનીમાં આજે 2.5 લાખ કર્મચારી છે, 1000 રૂપિયાથી શરૂ થયેલી કંપની આજે 6 લાખ કરોડની થઈ ચૂકી છે. ધીરૂભાઈ આપણા બધા માટે એક પ્રેરણા છે તેમ પણ મુકેશ અંબાણીએ કહ્યું હતું.
અંબાણીએ આગળ કહ્યું કે, વિશ્વ નવા પદાર્થોની શોધ કરશે. જે મેન્યુફેક્ચરિંગ અને લોકોના જીવનમાં ક્રાંતિકારી ફેરફાર લાવશે. રિલાયન્સ આ નવી વસ્તુઓની શોધમાં વૈશ્વિક ઉત્પાદકોનું નેતૃત્વ કરી શકે છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આ અવસર પર બોલતાં કહ્યું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ધીરૂભાઈ અંબાણીના વિઝનની ઉપજ છે. છેલ્લા 40 વર્ષથી કંપનીનો ગ્રોથ તેમને સમર્પિત છે. કર્મયોગીની કલ્પના આજે સાકાર થઈ છે અને એક સોચ સામ્રાજ્યમાં બદલાઈઇગઈ છે. એક શહેરથી શરૂ થયેલો કંપનીનો કારોબાર સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચૂક્યો છે. 1 થી શરૂ થયેલી કંપનીમાં આજે 2.5 લાખ કર્મચારી છે, 1000 રૂપિયાથી શરૂ થયેલી કંપની આજે 6 લાખ કરોડની થઈ ચૂકી છે. ધીરૂભાઈ આપણા બધા માટે એક પ્રેરણા છે.
મુંબઈઃ દેશની ટોચની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના 40 વર્ષ પૂરા થવા પર રિલાયન્સ ફેમિલી ડે તરીકે શનિવારે સાંજે તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં યોજાયેલા કાર્યક્રમમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણી, નીતા અંબાણી, અમિતાભ બચ્ચન સહિત અનેક લોકો હાજર રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -