✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

માત્ર 12 વ્યક્તિઓ બે લાખ કરોડ રૂપિયા દબાવીને બેઠા છે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Jun 2017 07:35 AM (IST)
માત્ર 12 વ્યક્તિઓ બે લાખ કરોડ રૂપિયા દબાવીને બેઠા છે
1

સમિતિએ ૩૧ માર્ચ ૨૦૧૬ના રોજે બેન્કો દ્વારા ૬૦ ટકા રકમ બિન કાર્યક્ષમ તરીકે વર્ગીકૃત કરાઇ હોય તેવા ~૫૦૦૦ કરોડથી વધુ રકમના ફંડ અને નોન-ફંડ આધારિત બાકી રકમ સાથેના તમામ ખાતાઓને આઇબીસી રેફરન્સમાં મોકલી દેવાની ભલામણ કરી છે. રિઝર્વ બેન્કે મંગળવારે સૌથી વધુ એનપીએ ધરાવતાં ૫૦૦ ખાતાઓની ઓળખ કરી છે. બીજી સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે માત્ર ૧૨ ખાતાધારકો પાસેથી કુલ એનપીએનો ૨૫ ટકા હિસ્સો વસૂલવાનું બાકી છે.

2

આ કંપનીઓ કે લોકો પાસેથી પૈસા વસૂલવા રિઝર્વ બેન્કે બેન્કરપ્સી કાયદા હેઠળ પગલું ભરવાની ભલામણ કરી છે. ડિફોલ્ટર્સનું નામ લીધા વગર રિઝર્વ બેન્કે કહ્યું છે કે ધિરાણકર્તાઓને લેણાંની વસૂલાત માટે ઇન્સોલ્વન્સી કાર્યવાહી શરૂ ધરવાનું કહેવામાં આવશે.

3

નવી દિલ્હીઃ બેંકો ફસાયેલીલોન (એનપીએ)ની સમસ્યાનું સમધાન કરવાની દિશામાં રિઝર્વ બેંકે કાર્રવાઈ ઝડપી કરી છે. કેન્દ્રીય બેંકે 5,000 કરોડ રૂપિયાથી વધારેની બાકી લોન ધરાવતા 12 બેંક ખાતાની ઓળખ કગરી છે. આ ખાતામાં બેંકોની કુલ ફસાયેલી લોનના 25 ટકા રકમ છે. આ ખાતાઓમાં બેન્કોનું આશરે રૂપિયા બે લાખનું ડૂબત ઋણ છે.

4

હાલમાં બેન્કિંગ સેક્ટરમાં રૂપિયા આઠ લાખ કરોડથી વધુની બિન-કાર્યક્ષમ અસ્કયામતો છે. જેમાંથી રૂપિયા છ લાખ કરોડ તો રાષ્ટ્રીયકૃત બેન્કોના જ છે. રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે આંતરિક સલાહકાર સમિતિ (આઇએસી)એ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્ટ્સી કોડ હેઠળ કાર્યવાહી કરવા માટે આ ખાતાઓને સુપરત કરવાની ભલામણ કરી છે.

  • હોમ
  • બિઝનેસ
  • માત્ર 12 વ્યક્તિઓ બે લાખ કરોડ રૂપિયા દબાવીને બેઠા છે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.