RBIના નામે કોલ કરી છેતરપિંડી કરતાં લોકો થઈ જાવ એલર્ટ, શરૂ થઈ હેલ્પલાઇન
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઈમેલ, સંદેશ કે કોલ દ્વારા લોકોને રિઝર્વ બેંક દ્વારા પુરસ્કાર મળવાની કે લોટરી લાગી હોવાનું પ્રલોભન આપવાની ઘટનાઓ વધી છે. આ પ્રકારની ઘટનાઓમાં ઠગ પ્રલોભન આપે છે અને લોટરી કે પુરસ્કારના રૂપિયા આપવા માટે રકમ માંગતા હોય છે. કેટલાક લોકો આવા ઠગની જાળમાં ફસાઈને રૂપિયા ગુમાવતા હોય છે. RBIના આ પગલાથી છેતરપિંડી કરતાં લોકોને સતર્ક કરી શકાશે.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંકના નામ પર છેતરપિંડીના મેસેજ મોકલનારાઓને હવે આરબીઆઈ અંદાજમાં પહોંચી વળશે. તેણે એસએમએસ અને મિસ્ડ કૉલનું અભિયાન શરૂ કર્યું છે. તેના મારફત એવા લોકોથી બચવા અને ફરિયાદ કરવાની રીતો બતાવાશે. જો કોઈને અંગે માહિતી મેળવવી હોય તો તે 8691960000 નંબર પર મિસ્ડ કૉલ કરી શકે છે. ત્યાર બાદ રિઝર્વ બેંક તરફથી કૉલ આવશે, જેમાં બધી માહિતી અપાશે. આ કોલમાં સાઇબર સેલ તથા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા સંબંધી જાણકારી આપવામાં આવે છે.