Jio પર અનલિમિટેડ ફ્રી વોયસ કોલને લઈને કંપનીએ કર્યો મોટો ખુલાસો, જાણો 1000 કોલ બાદ શું થશે
વોયસ કોલ પર ચાર્જ લગાવાવની અમારી કોઈ યોજના નથી. કંપનીની વેબસાઈટ પર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, તમામ વોયસ કોલ ફ્રી રહેશે. આગળ પણ તે ફ્રીમાં જ મળતા રહેશે. સપ્ટેમ્બરમાં લોન્ચ સમયે જ મુકેશ અંબાણીએ સ્પષ્ટ કહ્યું તું કે, રિલાયન્સ જિયો પર કોઈપણ ટેરિફ પ્લાનની સાથે વોયસ કોલ બિલકુલ ફ્રી મળશે અને તે પણ તમામ નેટવર્ક પર.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, મીડિયામાં એવા અહેવાલ આવ્યા હતા કે રિલાયન્સ જિયો પોતાના યૂઝરને આપવામાં આવે ફ્રી વોયસ કોલની સુવિધા પર મર્યાદા નક્કી કરવા પર વિચાર કરી રહી છે. સીએલએસએની નોટને ખોટી ગણાવતા કંપનીના એક પ્રવક્તાએ કહ્યું કે, આ અહેવાલ પાયાવિહોણા છે અને મુકેશ અંબાણીએ જે જણાવ્યું હતું તેમ જ સેવાઓ આપવામાં આવશે.
કંપનીએ ફરી એકવાર સ્પષ્ટતા કરી છે કે આ માત્ર એક અફવા છે. કંપની અનલિમિટેડ ફ્રી વૉઇસ કૉલની સુવિધાને હંમેશા માટે ચાલુ રાખશે. આ સુવિધાને બંધ કરવાની કે તેમાં ફેરફાર કરવાનો કંપનીનો કોઇ પ્લાન નથી.
કંપનીએ એવા દાવાઓને ફગાવ્યા છે જેમાં કહેવામાં આવ્યુ હતુ કે કંપનીની યોજના 1000 મિનીટ વૉઇસ કૉલ પછી ગ્રાહકો પાસેથી ચાર્જ લેવાની છે. જો તમે પણ આવા વૉઇસ કૉલ ચાર્જ વિશેના રિપોટ્સ ક્યાંક વાંચ્યા હોય તો પરેશાન થવાની જરૂર નથી.
મુંબઈઃ Reliance Jio પર અનલિમિટેડ વોયસ કોલની સુવિધા જારી રહેશે. થોડા સમય પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે કંપની મહિનામાં 1000 વોયસ કોલ જ ફ્રી આપશે ત્યરા બાદ યૂઝર પાસેથી ચાર્જ લેવામાં આવશે. પણ હવે કંપનીએ કહ્યું છે કે રિલાયન્સ જિઓ પર વૉઇસ કૉલ માટે કોઇ ચાર્જ નહીં લાગે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -