Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નફો 12.3 ટકા વધ્યો, જિઓની ચોખ્ખી ખોટ 22.5 કરોડ રૂપિયા
વિતેલા વર્ષમાં મહત્ત્વની કામગીરી હાથ ધરી હતી તેમાં રિલાયન્સ-સિબુર સંયુક્ત સાહસે દક્ષિણ એશિયાના પ્રથમ હેલોજેનેટેડ બ્યુટાઇલ રબર પ્લાન્ટના જામનગર ખાતે પ્રારંભની જાહેરાત, જિયોના ગ્રાહકોની સંખ્યા 170 દિવસમાં 100 મિલિયન (10 કરોડ) સુધી પહોંચવી, સોહાગપુર (પશ્ચિમ)માં પેટાળમાં રહેલા કોલસાના થર (કોલબેડ) મિથેન (સી.બી.એમ.)ના વ્યાવસાયિક ઉત્પાદનનો પ્રારંભ કરવો વગેરેનો સમાવેશ થતો હતો. રિલાયન્સે વાર્ષિક ધોરણે આવકમાં 60.2 ટકા અને ઘસારા તથા કરવેરા પહેલાની આવકમાં 40.4 ટકાની વૃધ્ધિ સાથે ઉત્સાહપ્રેરક કામગીરી દર્શાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચોથા ત્રિમાસિક ગાળામાં ટર્નઓવર 45.2 ટકા વધીને રૂ.92,889 કરોડનું થયું હતુ. જ્યારે વાર્ષિક કામકાજ ગત્ વર્ષના સમાન ગાળાની સરખામણીએ 12.6 ટકા વધીને રૂ.3,30,180 કરોડનું થયું હતું. વર્ષ દરમિયાન ગ્રોસ રિફાઇનિંગ માર્જીન બેરલ દીઠ 11 ડોલર રહ્યું હતું જે આગલા ત્રિમાસિક ગાળામાં 11.5 ડોલર હતું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોથા ત્રિમાસિક ગાળામાં નફો 16.6 ટકા વધીને રૂ.8,046 કરોડનો થયો હતો. જ્યારે વાર્ષિક ધોરણે નફો 18.8 ટકા વધીને રૂ.29,901 કરોડનો થયો હતો જે નવી વિક્રમી સપાટીએ રહ્યો હતો. કંપનીના પેટ્રોકેમિકલ્સ બિઝનેસ અને રિફાઇનિંગ માર્જીન આઠ વર્ષની ઊંચી સપાટીએ રહેતાં તેની નફા ક્ષમતા પર સીધી અસર જોવાઈ હતી.
નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ)એ કહ્યું કે, ઉચ્ચ રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ માર્જિનને કારણે માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 12.3 ટકા વધ્યો છે. જોકે, મુકેશ અંબાણીના નેતૃત્વવાળી નવી ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર કંપની રિલાયન્સ જિઓની ચોખ્ખી ખોટ ઓક્ટોબર-માર્ચ ગાળામાં 22.5 કરોડ રૂપિયા રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -