✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PNB કૌભાંડ: નીરવ મોદી અને મેહુલ ચોક્સી સામે બિન જામીનપાત્ર વોરંટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Mar 2018 10:21 PM (IST)
1

જણાવી દઈએ કે પીએમએલએ કોર્ટે જજ એમએસ આઝમીએ મંગળવારે ઈડીના વિશેષ વકીલ હિતેન વેનેગાંવકરે નીરવ મોદી વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ જાહેર કરવા માંગ કરી હતી. જો કે તેના પહેલા સીબીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલા વોરંટનો જવાબ આપતા નીરવ મોદીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે તે વિદેશમાં વ્યસ્ત છે તેથી તે ભારત નહીં આવી શકે. ઈડીએ છેલ્લા કેટલાક દિવસોમાં મોટી કાર્યવાહી કરતા મેહુલ ચોક્સીની 41 જેટલી સંપત્તિઓ જપ્ત કરી છે. જેની કિંમત 1217 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે.

2

મુંબઈ: પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સી સામે મુંબઈની સ્પેશિયલ પીએમએલએ કોર્ટે બિન-જામીનપાત્ર વૉરંટ જાહેર કર્યું છે. પીએનબીમાં મહાકૌભાંડના આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સીની મુશ્કેલી વધી રહી છે. સ્પેશિયલ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ કોર્ટ દ્વારા બિન જામીનપાત્ર વોરંટ ઈસ્યૂ કર્યું છે. હાલ બન્ને આરોપી દેશની બહાર છે.

3

પીએમએલએ કોર્ટ દ્વારા કાઢવામાં આવેલા બિન જામીનપાત્ર વોરંટ બાદ નીરવ મોદીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું છે કે, તે હાઈ કોર્ટમાં આ બિન જામીનપાત્ર વૉરન્ટને પડકાર ફેંકશે. તેમણે કહ્યું કે, આ આદેશને હાઈ કોર્ટમાં પડકારવાનું વિચાર કરી રહ્યા છીએ. જોકે નિર્ણય વાંચ્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. કેમ કે અમને ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની કૉપી પણ આપવામાં આવી નથી.

  • હોમ
  • બિઝનેસ
  • PNB કૌભાંડ: નીરવ મોદી અને મેહુલ ચોક્સી સામે બિન જામીનપાત્ર વોરંટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.