✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આજે બપોરે ઉર્જિત પટેલ રજૂ કરશે RBIની નાણાં નીતિ, 0.25% ઘટી શકે છે રેપો રેટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Aug 2017 12:37 PM (IST)
1

ઇન્ડિયન બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર કિશોર ખરાટ કહે છે કે આરબીઆઇ આ વખતે 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરી શકે છે. જોકે એ પણ છે કે માર્કેટમાં પર્યાપ્ત લિક્વિડિટી હોવાથી કેશ રિઝર્વ રેશિયો (CRR) કે SLR કોઇ ફેરફાર થાય.

2

બેન્ક ઓફ મહારાષ્ટ્રના ડાયરેક્ટર આરપી મરાઠે કહે છે કે અમને આ વખતે રેટ કટની આશા છે. દરોમાં ઓછામાં ઓછો 25 બેસિસ પોન્ટનો કાપ આવવાની ધારણા છે. મોંઘવાની નીચા સ્તરે છે. પરંતુ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ સતત ગબડી રહ્યો છે. તેથી રેટ કટની જરૂરીયાત વધી ગઇ છે, જેનાથી ક્રેડિટ ગ્રોથ વધશે.

3

જો રિઝર્વ બેન્ક રેટ કટનો નિર્ણય કરશે તો હોમ લોન, કાર લોન, પર્સનલ લોન અને બિઝનેસ લોન્સ સસ્તી થશે. કેમકે આ બધી લોનના માસિક હપતા (ઇએમઆઇ)માં ઘટાડો થશે. એસબીઆઇએ તેના બચત ખાતા પરના વ્યાજ દરને 4 ટકાથી ઘટાડીને 3.5 ટકા કર્યો છે. તેથી રેટ કટ આવે તો લોનો પરના વ્યાજ દરમાં પણ ઘટાડો થવાનું શક્ય છે.

4

નવી દિલ્હીઃ હોમ અને કાર લોન સસ્તી થવાની રાહ જોઈ રહેલ લોકો માટે આજે બપોરે સારા સમાચાર આવી શકે છે. રિજ્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ આજે દ્વિમાસીક નાણાંત સમીક્ષા નીતિ રજૂ કરશે. બજાર, અને કારોબારીઓને આશા છે કે આજે આરબીઆઈ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. દ્વિમાસીક નાણાં નીતિ અંતર્ગત રેપો રેટ નક્કી કરવા માટે છ સભ્યોની નાણાં નીતિ સમિતિની બેઠક 1 ઓગસ્ટે શરૂ થઈ હતી. આજે બપોરે સુધીમાં આ બેઠક ખતમ થશે, ત્યાર બાદ નીતિગત વ્યાજ દરની જાહેરાત કરવામાં આવશે.

  • હોમ
  • બિઝનેસ
  • આજે બપોરે ઉર્જિત પટેલ રજૂ કરશે RBIની નાણાં નીતિ, 0.25% ઘટી શકે છે રેપો રેટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.