CRIME NEWS: પાલનપુર પોલીસ હેડ ક્વાર્ટર પાસે યુવતીનું અપહરણ અને દુષ્કર્મની ઘટના સામે આવી છે. 2 માસ અગાઉ પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતી યુવતીનું અપહરણ કરી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની વાત સામે આવી છે. 2 માસ બાદ યુવતીને મોકો મળતા ખેતરમાંથી ભાગી પાલનપુર પહોંચી હતી. દાંતા તાલુકાના ગોરાડ ગામના ઈસમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી પિતા અને 2 પુત્રો સહિત 4 સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.


સુરતમાં યુવતીની હત્યા



સુરતના રેલવે સ્ટેશન પાસે આવેલા અમિષા ચારરસ્તા સ્થિત મંથન કોમ્પલેક્સમાં દેહવિક્રયનો ધંધો કરતી મહિલાની હત્યા કરી દેવાઇ હતી. મધરાત્રે પૈસાના મુદ્દે થયેલા ઝઘડામાં ઝપાઝપી બાદ ઉશ્કેરાયેલા પ્રેમીએ લાકડાના પાટિયા મારી લલનાને મોતને ઘાટ ઉતારી દીધી હતી ત્યાર બાદ પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો. ગઈકાલે ગુરૂવારે સવારે અમિષા ચાર રસ્તા સ્થિત મંથન કોમ્પલેક્સમાં બીજા માળે રિનોવેટ થતી ઓફિસ નં.૨૦૯માંથી મહિલાની લાશ મળી આવી હતી. 


મહિધરપુરા પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો


બનાવ અંગે જાણ થતા જ મહિધરપુરા પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે કરેલી તપાસમાં મૃતક 40 વર્ષીય મહિલાની ઓળખ રીટા ઉર્ફે માધુરી ઉર્ફે ભૂરી તરીકે થઇ હતી. માધુરીના માથા, કપાળ, ગરદન તથા કાનના ભાગે. બોથડ પદાર્થથી હુમલો કરાયો હોય તે પ્રકારના ઇજાના ચિહ્નો હતા. પ્રાથમિક તબક્કે હત્યા થઈ હોવાનું જણાતા મહિધરપુરા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો હતો. 


માધુરીએ દશરથ બૈરાગી સાથે ૧૮ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા









પોલીસે જગન્નાથની વધુ પૂછપરછ શરૂ કરી


પોલીસના જણાવ્યા પ્રમાણે મધરાત્રે માધુરી અને જગન્નાથ મંથન કોમ્પલેક્સમાં નવી બંધાતી ઓફિસની જગ્યા પર ગયા હતા. અહીં માધુરીએ જગન્નાથ પાસેથી પૈસા ઝૂંટવી લીધા હતા. જે બાબતે થયેલા ઝઘડામાં માધુરીએ જગન્નાથને હાથના ભાગે બચકાં ભર્યા હતા. જેથી ઉશ્કેરાઇને જગન્નાથે સ્થળ પર પડેલા લાકડાના પાટિયાથી હુમલો કરી માધુરીને પતાવી દીધી હતી. હત્યા કરી તે સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. પોલીસે જગન્નાથની વધુ પૂછપરછ શરૂ કરી છે.