અમદાવાદઃ ગેંગ રેપની ફરિયાદ કરનારી સગીરાએ શું કહ્યું કે કોર્ટે તમામ 18 આરોપીને નિર્દોષ છોડી મૂક્યા ? જાણો વિગત
આ કેસમાં પોલીસે ફરિયાદી રાજુ ગુરુદયાલ શર્મા અને માતા નંદિની ઉર્ફે ગુડ્ડુ સહિત 19 જણની ધરપકડ કરેલી. પીડિતાની માતા નંદિની ઉર્ફે ગુડ્ડુ જામીન પર છૂટ્યા બાદ ભાગી ગઇ હતી. કોર્ટે આરોપીઓ સામે આરોપનામું ઘડ્યું ત્યારથી તે ભાગી ગઇ હતી. આથી કોર્ટે તેની વિરુદ્ધ વોરંટ પણ કાઢ્યું હતું. તેમ છતાં તે હાજર થઇ નહોતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે 14 નવેમ્બર 2016 ના રોજ આરોપી કિશોર પટેલ અને સાગર પટેલ એક્ટિવા પર સગીરાને રાત્રીના 10.15 વાગે ધોળકાના ચલાડા ગામના કર્મજ્યોત ગ્રીનવીલા બંગલો નં-37માં લઇ ગયેલા. આ બંગલાં તેની સાથે 7 લોકોએ ગેંગરેપ કર્યો હતો તેવી ફરિયાદ તેમણે કરી હતી.
અમદાવાદઃ પાલડીની સગીરા સાથે ગેંગરેપ થયો હોવાના આક્ષેપ સાથે થયેલા કેસમાં એડિશનલ સેશન્સ જજ આર.કે.ચૂડાવાલાએ 18 આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે. કોર્ટે 121 પેજના ચુકાદામાં આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂક્યા છે.
આરોપીઓ વિરુદ્ધ સરકાર પક્ષ પુરાવાના અભાવે આરોપ સાબિત નહીં કરી શકતા કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂક્યા હતાં. આ કેસમાં પાલડીની સગીરાના પિતા રાજુ ગુરુદયાલ શર્માએ પાલડી પોલીસ સ્ટેશનમાં 26 નવેમ્બર 2016 ના રોજ ગેંગ રેપની ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં ભોગ બનનાર પીડિતા કોર્ટમાં ફરી ગઇ હતી. તેણે પોતાની જુબાની ફેરવી તોળતાં કહેલું કે, હું સગીરા નથી અને મારી ઉંમર 22 વર્ષ છે. મારું કૌમાર્ય ભંગ થયું નથી અને મારી સાથે કોઇ પુરુષે દુષ્કર્મ કર્યું નથી. મેં મેજિસ્ટ્રેટ સમક્ષ 164 અંતર્ગત નિવેદન પણ આપ્યું નથી.
આ ઉપરાંત સરકાર પક્ષ કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ મજબૂત પુરાવા રજૂ કરી શકી નહીં. ભોગ બનનાર પીડિતાનું યોનિ પટલ ખંડિત હતું કે અંખડિત તે અંગેનો કોઇ અભિપ્રાય તબીબોએ આપ્યો નહોતો. પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતાં 20 સાક્ષીઓની જુબાની લેવાઈ હતી અને આ પૈકી 11 સાક્ષીઓ ફરી ગયા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -