દાહોદઃ દાહોદમાં જમાઇએ સાસુ અને સસરા પર હિંસક હુમલો કરતા સાસુનું મોત થયુ હતું જ્યારે ગંભીર રીતે ઘાયલ સસરાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મળતી જાણકારી અનુસાર, દાહોદ જિલ્લાનાં ઝાલોદ તાલુકાનાં પીપલેટ ગામમાં રિસામણે ગયેલી પત્નીને પાછી ન મોકલતા જમાઈ ગુસ્સે થયો હતો અને અસ્ત્રો લઈને સાસુ- સસરા પર હુમલો કર્યો હતો.


મળતી માહિતી મુજબ પીપલેટ ગામનાં ઢબુડી બેન અને મકનભાઈની પુત્રી મનિષાનાં લગ્ન 14 વર્ષ પહેલા વિજય ઉર્ફે બિજલ કલમી સાથે થયા હતા. બંન્નેને 3 સંતાનો છે. પતિ - પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતા હતા. પણ 10 દિવસ પહેલા થયેલા ઝઘડાનાં પરિણામે મનિષા પોતાનાં 3 સંતાનો સાથે પિયર આવી ગયા હતા.


વિજય ઉર્ફે બિજલ કલમી સાસરીમા આવી તેની પત્નીને લઈ જવા માંગણી કરતો હતો પરંતુ કોઈક કારણોસર તેના માતા પિતા પુત્રીને મોકલવા માંગતા નહોતા. ગઇકાલે રાત્રે પણ વિજય  તેની સાસરીમા પીપલેટ ગયો હતો અને પત્નીને લઈ જવાની માંગ કરી હતી. ત્યારે ફરીથી ના પાડતા વિજય ગુસ્સે થયો હતો અને ઉશ્કેરાયેલા વિજયે રાત્રે સાડા ત્રણ વાગ્યે અસ્ત્રો લઇને તેના સાસુ અને સસરા પર હુમલો કર્યો હતો. આ જીવલેણ હુમલામા સાસુનું સારવાર દરમિયાન મોત નીપજયુ હતું  જ્યારે ઈજાગ્રસ્ત સસરાને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ પોલીસે આરોપી વિજયને દબોચી લીધો છે. સાથે જ તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઇ હતી.


Crime News: અમદાવાદની યુવતી સાથે ભુજના રિસોર્ટમાં બળાત્કાર, દુષ્કમનો આરોપ લાગતા યુવકે ખાધો ગળેફાંસો


Crime News: ભુજનાં સેડાતા પાસે આવેલા ખાનગી રિસોર્ટમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. અમદાવાદની યુવતી સાથે રિસોર્ટમાં બળાત્કાર થયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. હાલમાં દુષ્કર્મ પીડિતા જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ છે. તો બીજી તરફ જેમના પર બળાત્કારનો આરોપ છે તે દિલીપ આહીર નામના યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં આ મામલે માનકુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


અમદાવાદમાં સગા બાપે દીકરી પર ગુજાર્યો બળાત્કાર


અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પિતા અને દીકરીના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. એક સગા બાપે તેની સગી દીકરી સાથે શારીરિક સંબંધો બાંધી દીકરી અને પિતાના સંબંધને લાંછન લગાડ્યું છે. હદ તો ત્યારે વટાવી નાખી જ્યારે દીકરીના લગ્ન બાદ પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતો રહ્યો. અંતે પીડિત દીકરીએ પિતાના ત્રાસથી કંટાળીને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જે બાદ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે


"મેં કુછ ગલત નહીં કર રહા, અગર યે બાત કિસી ઔર કો બતાયેગી, તો કોઈ યકીન નહીં કરેગા". આ શબ્દો કહેતા- કહેતા નરાધમ પિતા પોતાની સગી દીકરી સાથે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજારતો રહ્યો. આરોપી સગા બાપે તેની 20 વર્ષની દીકરી સાથે શારીરિક સંબંધ બાંઘ્યો અને ચાર વર્ષથી તેની સાથે બળાત્કાર ગુજારતો રહ્યો. જ્યારે પીડિત દીકરી તેના પિતાને ના કહેતી ત્યારે ઘરમાંથી બહાર કાઢી મૂકવાની ધમકી આપતો. માત્ર આટલું જ નહીં, જ્યારે પીડિત દીકરી સંબંધ બાંધવાની ના પાડતી ત્યારે તેની નાની બહેનો સાથે પણ આ જ પ્રકારે બળાત્કાર ગુજારવાની ધમકી આપતો. બસ આ જ વાતનો ફાયદો લઈ તેનો પિતા અવારનવાર બળાત્કાર ગુજારતો રહ્યો