Crime News:  દેહરાદૂનના ડાકપથર પોલીસ ચોકી વિસ્તારમાં સાવકી માતા પર બળાત્કાર કરીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર યુવક અવારનવાર બળાત્કાર કરતો હતો અને તેની સાવકી માતાને મારતો હતો. પોલીસે પંચનામું કરીને મૃતક મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.


નશામાં સાવકી માતા પર બળાત્કાર


આ વિસ્તારનો રહેવાસી એક વ્યક્તિ તેના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમને બે પુત્રો છે. પહેલી પત્નીના અવસાન બાદ આ વ્યક્તિએ એક મહિલા સાથે લગ્ન કર્યા હતા. આરોપ છે કે તેનો પુત્ર વારંવાર તેની સાવકી માતા સાથે બળાત્કાર કરતો હતો અને માર મારતો હતો. ઘટના મુજબ, બુધવારે સાંજે તેના પુત્રએ દારૂના નશામાં તેની સાવકી માતા પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેણીને માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.


ઘટનાની માહિતી મળતાં જ ડાકપથર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત મહિલાને વિકાસનગરની ઉપ-જિલ્લા હોસ્પિટલમાં મોકલી હતી, જ્યાંથી તેણીની ગંભીર હાલતને જોતા દહેરાદૂન રીફર કરવામાં આવી હતી. દેહરાદૂનની કોરોનેશન હોસ્પિટલના ડોક્ટરોએ મહિલાને દૂન હોસ્પિટલમાં લઈ જવા કહ્યું, પરંતુ મહિલાના પતિએ તેને વિકાસનગર પરત લાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. ડાકપથર પોલીસ ચોકીના ઈન્ચાર્જ જયવીર સિંહે જણાવ્યું કે મૃતક મહિલાના મૃતદેહનું પંચનામું કર્યા બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ મહિલાની હત્યા અને બળાત્કારના આરોપીને શોધી રહી છે.


આ પણ વાંચોઃ PAN Card: પાન કાર્ડ ખોવાઈ જાય તો પરેશાન થવાની નથી જરૂર, આ રીતે Duplicate પાન કાર્ડ માટે કરો અરજી


Vitamin For Immunity: દેશમાં ફાટ્યો છે કોરોનાના રાફડો, આ વિટામિનનું સેવન બનાવશે ઈમ્યુનિટી મજબૂત


ન દવા ન કોઈ ટૉનિક, કોરોનામાં બિલકુલ ફ્રીમાં વધારો તમારી ઇમ્યુનિટી, કરવું પડશે માત્ર આ એક કામ


Kisan Credit Card: કિસાન ક્રેડિટ કાર્ડના છે અઢળક ફાયદા, જાણો કેવી રીતે બનાવશો અને શું જોઈશે ડોક્યુમેંટ


ભાજપ શાસિત આ રાજ્યમાં 15-18 વર્ષના તરૂણોએ રસી નહીં લીધી હોય તો સ્કૂલમાં પ્રવેશ નહીં અપાય, જાણો વિગત