Latest Crime News: ખેડા જિલ્લામાંથી પસાર થતી મહિસાગર નદી (Mahisagar river bank) કિનારેથી યુવક-યુવતીએ (men and women commits suicide) આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. મહીસાગર નદી કિનારે આવેલા એક મોટા પથ્થર ઉપર બંનેના મૃતદેહ (dead body found) મળ્યા હતા. ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે. ડાકોર પોલીસે (dakor police) ઘટના સ્થળ પર પહોંચી બંને મૃતદેહને પીએમ અર્થે ડાકોર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.


યુવક-યુવતી પરણીત


આ ઘટના ઠાસરા તાલુકાના આકલાચા ગામે બની હતી. આત્મહત્યા કરનારો યુવક પરણીત હતો તો યુવતીના પણ એક મહિના પહેલા લગ્ન થયા હતા. ઘટનાના પગલે ચકચાર મચી ગઈ હતી.


વડોદરામાં પાદરા તાલુકાના વાલીપુરા ગામમાં રહેતા ઇન્દ્રાજસિંહ રાજેન્દ્રસિંહ પઢિયાર ઉંમર વર્ષ 25 એ ગામમાં રહેતા યોગેન્દ્ર ગુમાનસિંહ પઢીયાર સાથે ભાગીદારીમાં 2.50 લાખ રૂપિયાની લોન લઈને ડીજે લીધું હતું પરંતુ ડીજે સરખું ચાલતું ન હોવાથી તેના માટે લીધેલ લોનના હપ્તા સમયસર ભરી શકાતા ન હતા. જેના કારણે બેંક દ્વારા વારંવાર ઉઘરાણીઓ થતી હતી. દરમિયાન તારીખ 15 ના રોજ સવારના ક્રોનેક્સ કંપનીમાં નોકરીએ જવું છું તેમ કહી તે ઘેરથી નીકળ્યો હતો અને બાદમાં તેના મિત્ર ભરતના ઘેર જઈ પત્નીને સાસરીમાં મૂકવા જવાનું છે તેમ કહી મિત્રની બાઈક લઈને નીકળી ગયો હતો. ત્યારબાદ તેનો કોઈ પત્તો મળતો ન હતો ઘરના સભ્યોએ તેની શોધખોળ કરતા ગઈકાલે બપોરે આખરે લકડીકુઈ નર્મદા કેનાલના પાણીમાંથી લાશ મળી હતી.




રાજકોટમાં રહેતી મહિલા ઉપર તેના પતિના જ મિત્ર મુન્ના ધીરૂભાઈ વરૂએ કારમાં દુષ્કર્મ ગુજાર્યાની આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે પોલીસે આરોપીને સકંજામાં લઇ તપાસ આગળ ધપાવી છે.  ભોગ બનનાર મહિલાની ઉંમર 48 વર્ષની છે અને તે બે સંતાનની માતા છે. તેણે પોલીસને જણાવ્યું કે ગઇ તા. 1ના રોજ સાંજે ઘરે હતી ત્યારે પતિના મિત્ર મુન્નાએ તેના પુત્રના મોબાઈલમાં કોલ કરી કહ્યું કે તું અને તારા મમ્મી આજી ડેમ ચોકડી ખાતે આવેલા મંદિરે આવો, આપણે શ્રીફળ વધેરવાનું છે. જેથી તે પુત્ર સાથે ત્યાં ગઇ હતી. તે વખતે મુન્નાએ તેના પુત્રને શ્રીફળ વધેરવા માટે મંદિરની અંદર મોકલી દીધા બાદ તેને કહ્યું કે તમારા પતિ ખરાબ કામ કરે છે, એટલા માટે મેં તમને અહીં બોલાવ્યા છે, તમારા ઘરમાં બધુ સારૂ થઇ જશે, હું કહું તેમ કરજો. ત્યારબાદ તેનો પુત્ર આવી જતાં તેની સાથે ઘરે જતી રહી હતી. ગઇ તા. 7ના રોજ સવારે ફરીથી મુન્નાએ તેના પુત્રના મોબાઈલમાં કોલ કરી આજી ડેમ પાસેના તે જ મંદિરે શ્રીફળ વધેરવાના નામે બોલાવતા તે પુત્ર સાથે ત્યાં ગઇ હતી. તે વખતે મુન્નાએ તેના પુત્રને  કહ્યું કે તું મંદિરે જઇ શ્રીફળ વધેરી આવ, મારે તારા પપ્પાની વાત તારા મમ્મીને કરવી છે.