Gujarat News:  ખેડા જિલ્લામાં મહેમદાવાદ રેલ્વે ચોકી પર ફરજ પરના પોલીસકર્મીઓ પર કથિત રીતે હુમલો કરવા બદલ સાત લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ઇજાગ્રસ્ત બે પોલીસકર્મીઓને નડિયાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 


નડિયાદ રેલ્વે પોલીસે સાત હુમલાખોરો સાહિલ દિવાન વોરા, સાગર પરમાર, હિંમતસિંહ પરમાર અને અન્ય ચાર સામે હત્યાનો પ્રયાસ, ગેરકાયદેસર રીતે ભેગા થવા, રમખાણ કરવા, ઘાતક હથિયારથી સજ્જ, ફોજદારી ધાકધમકી અને જાહેર સેવકને ફરજ બજાવતા અટકાવવાનો ગુનો નોંધ્યો છે. સબ ઇન્સ્પેક્ટર ઓ.આઈ. સિદ્દી સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે.


પોલીસકર્મીએ સમગ્ર મામલો જણાવ્યો
કોન્સ્ટેબલ રવિ ચૌહાણે નોંધાવેલી પોલીસ FIR  મુજબ, "મંગળવારે રાત્રે હું હેડ કોન્સ્ટેબલ દિલીપ ભુલાભાઈ અને અન્ય ત્રણ જવાન સાથે ડ્યુટી પર હતો, ત્રણ કર્મચારીઓ રાઉન્ડમાં હતા, હું અને દિલીપ અમારી નોકરી કરી રહ્યા હતા. સાહિલ, બિપિન અને અન્ય લોકો ચોકીમાં પ્રવેશ્યા અને અમારી સાથે ઝઘડો કરવા લાગ્યા અને આક્ષેપ કર્યો કે હું તેમની સામે ખોટો કેસ નોંધાવીને તેમને હેરાન કરી રહ્યો છું."


FIRમાં શું કહ્યું હતું?
FIR માં જણાવવામાં આવ્યું છે કે, "ચોકી  છોડતા પહેલા તેઓએ અમને ધમકી આપી હતી, ત્યારબાદ તેઓએ ચોકી પર પથ્થરમારો શરૂ કર્યો અને બળજબરીથી અંદર ઘૂસી ગયા અને મને અને દિલીપને લાકડીઓ અને છરીઓ વડે માર મારવાનું શરૂ કર્યું, જ્યારે પેટ્રોલિંગ ટીમ પરત આવી ત્યારે તેઓ ભાગી ગયા." 


હેડ કોન્સ્ટેબલને તેના જમણા પગમાં ફ્રેક્ચર થયું હતું અને ફરિયાદી કોન્સ્ટેબલ રવિ ચૌહાણેને પણ ઈજાઓ થઈ હતી. નડિયાદ રેલવે પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે પશ્ચિમ રેલવે પોલીસે આરોપીઓને પકડવા માટે ચાર ટીમો બનાવી છે.


આ પણ વાંચો : 


Arvind Kejriwal Gujarat Visit: 6  અને 7  ઓગષ્ટે અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત આવશે, જાણો ક્યાં જનસભા ગજવશે


નવી 2022 મારુતિ અલ્ટો K10 ફર્સ્ટ લૂક રિવ્યું, શું સેલેરિયો કરતાં વધુ સારી છે Alto K10...