માયાવતીએ લોકસભા ચૂંટણી લડવાની પાડી ના, કહ્યું............
abpasmita.in | 20 Mar 2019 05:17 PM (IST)
લખનઉઃ લોકસભા ચૂંટણી પહેલા બીએસપી સુપ્રીમો માયાવતીએ મોટું નિવેદન કર્યું છે. બીએસપી સુપ્રીમોએ કહ્યું કે, તે લોકસભા ચૂંટણી નહીં લડે. સાથે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે જો ચૂંટણી બાદ જરૂર પડશે તો કોઇ સીટ ખાલી કરાવીને લોકસભા ચૂંટણી લડીશ. માયાવતીએ કહ્યું કે, તેમનું ગઠબંધન યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. 2014 લોકસભા ચૂંટણીમાં બીએસપીને 20 ટકા વોટ મળ્યા હતા પરંતુ પાર્ટી રાજ્યમાં ખાતું પણ ખોલાવી શકી નહોતી, જ્યારે એસપીને 22.2 અને બીજેપીને 42.3 ટકા વોટ મળ્યા હતા. ઉત્તરપ્રદેશમાં એસપી-બીએસપી-આરએલડી વચ્ચે ગઠબંધન થયું છે. જે અંતર્ગત બીએસપી 38 સીટ પર, એસપી 37 સીટ પર અને આરએલડી 3 સીટ પર ચૂંટણી લડશે. રાયબરેલી અને અમેઠીમાં ગઠબંધન ચૂંટણી નહીં લડે. માયાવતી હાલ સતત પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધી રહી છે. તે ટ્વિટર પર પણ સક્રિય થઈ ગઈ છે અને પોતાની વાત રાખી રહી છે. હિન્દુત્વ પર ઉઠતા સવાલો પર પ્રિયંકા ગાંધીએ ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરી આપ્યો જવાબ, જુઓ વીડિયો