Punjab Election 2022: પંજાબ વિધાનસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ વચનોની લહાણી થઈ રહી છે. જલંધરમાં દિલ્હીના મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે પંજાબની જનતાને નવા વચનો આપ્યા છે. પંજાબના લોકોને વોટ માટે અપીલ કરતા કેજરીવાલે કહ્યું કે તેઓ રાજ્યમાં 24 કલાક વીજળી આપશે અને રાજ્યને ચોવીસ કલાક પીવાના પાણીની સુવિધા પણ આપશે.


અરવિંદ કેજરીવાલે લોકોને એમ પણ કહ્યું હતું કે જો સરકાર બનશે તો તેઓ આગામી પાંચ વર્ષ સુધી પંજાબમાં કોઈ નવો ટેક્સ લાગુ કરશે નહીં કે કોઈ ટેક્સ વધારશે નહીં. પંજાબમાં 26 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન હતું અને બાદલ પરિવારનું 19 વર્ષ સુધી શાસન હતું, તેઓએ જે કરવું હતું તે કર્યું. તેમને વધુ 5 વર્ષ આપવાનો કોઈ ફાયદો નથી. AAP એક કટ્ટર ઈમાનદાર પાર્ટી છે, તેથી 5 વર્ષ માટે AAP મોકો માંગી રહી છે. કેજરીવાલે પંજાબના શહેરોને લઈને આ 10 ગેરંટી આપી છે.


પંજાબના શહેરો માટે AAPની 10 ગેરંટી



  1. વીજ પુરવઠો વધારીને 24 કલાક કરવામાં આવશે.

  2. 24 કલાક પીવાના પાણીની વ્યવસ્થા કરશે.

  3. પંજાબમાં આગામી 5 વર્ષ સુધી કોઈ નવો ટેક્સ નહીં લાદશે, ટેક્સમાં વધારો નહીં કરે.

  4. પંજાબમાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.

  5. બજારો વિકસાવવામાં આવશે.

  6. પંજાબના શહેરોને સાફ કરવામાં આવશે.

  7. સેવાની ડોર સ્ટેપ ડિલિવરી શરૂ થશે.

  8. ઇલેક્ટ્રિકલ કેબલ અંડરગ્રાઉન્ડ હશે.

  9. હોસ્પિટલોને વધુ સારી બનાવશે અને દરેક વિસ્તારમાં મોહલ્લા ક્લિનિક્સ બનાવશે.

  10. શહેરોની સરકારી શાળાઓની સ્થિતિ સુધારશે.


પંજાબમાં ક્યારે છે વિધાનસભાની ચૂંટણી


પંજાબમાં 20 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાશે. પહેલા આ ચૂંટણી 14 ફેબ્રુઆરીએ થવાની હતી. મત ગણતરીના કાર્યક્રમમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. મતગણતરી 10 માર્ચના રોજ થશે.