મુંબઇઃ બૉલીવુડની ક્વિન ગણાતી કંગના રનૌત હવે ફરી એકવાર ચર્ચામાં આવી છે, આ વખતે તે ખરાબ રીતે ચર્ચામાં છે, ખરેખરમાં વાત એમ છે કે, તેની મૉસ્ટ અવેટેડ ફિલ્મ ગણાતી ધાકડ બૉક્સ ઓફિસ પર ઉંધા માથે પછડાઇ છે. કંગનાની 'ધાકડ'નું પરફોર્મન્સ એકદમ ખરાબ રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, લગભગ 100 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ 8 દિવસમાં માત્ર 5 કરોડ રૂપિયાની કમાણી કરી શકી. 


એક રિપોર્ટ પ્રમાણે, ધાડક ફિલ્મ રિલીઝના 8મા દિવસે આખા દેશમાં માત્ર 20 ટિકિટો જ વેચાઈ છે, જેનાથી 'ધાકડ'ની કમાણી માત્ર 4,420 રૂપિયા જ થઈ છે. 'ધાકડ' કંગનાના કરિયરની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ બની ગઈ છે. ધાકડની એકદમ ખરાબ શરૂઆત થતાં જ કંગનાને લોકો આડેહાથે લીધી હતી. 


ખાસ વાત છે કે ફિલ્મના ફ્લૉપ શૉના કારણે હવે તેને OTT અને સેટેલાઈટ રાઈટ્સ માટે કોઈ ડીલ નથી મળી રહી. ખાસ વાત છે કે, બીજા વીકમાં ‘ધાકડ’ ભારતમાં માત્ર 25 સિનેમાઘરોમાં જ ચાલી રહી છે. પહેલા અઠવાડિયાની સરખામણીમાં તેને બીજા વીકમાં લગભગ 98.80% સિનેમાઘરોમાંથી હટાવી દેવામાં આવી છે. દિલ્હી સૌથી મોટું શહેર છે, જ્યાં 4 સિનેમાઘરોમાં 'ધાકડ' ચાલી રહી છે. તેમજ મુંબઈના એકપણ થિયેટરમાં ફિલ્મ નથી ચાલી રહી, રિપોર્ટ્સ પ્રમાણે, ફિલ્મ ઓપનિંગ ડે પર જ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ ગઈ હતી. પહેલા દિવસે ફિલ્મે માત્ર 75 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મે પહેલા અઠવાડિયા એટલે કે 7 દિવસમાં માત્ર 2 કરોડનું કલેક્શન જ કર્યું હતું. રિલીઝથી લઈ અત્યાર સુધી 'ધાકડ' સિનેમાઘરોમાં ફ્લોપ સાબિત થઈ રહી છે. આ ફિલ્મને આખા ભારતમાં 2200 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી.






ઉલ્લેખનીય છે કે, રજનીશ ઘાઈના ડાયરેક્શનમાં બનેલી કંગનાની આ એક્શન થ્રિલર ફિલ્મને 20 મેના રોજ થિયેટરમાં રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મમાં કંગના સિવાય અર્જુન રામપાલ, દિવ્યા દત્તા અને શાશ્વત ચેટર્જી પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં કંગના એજેન્ટ અગ્નિની ભૂમિકામાં જોવા મળી રહી છે.


આ પણ વાંચો...... 


Mango Festival: જાણો મેંગો મહોત્સવમાં કયા રાજ્યની કઈ કેરી પ્રદર્શનમાં મુકવામાં આવી ?


Return of Ambassador Car: નવા લૂકમાં ફરી ભારતની સડકો પર દોડશે એમ્બેસેડર કાર, જાણો નવી એમ્બેસેડર કેવી હશે


GT vs RR: આજે ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની ફાઇનલ, ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટ્રોફી માટે જંગ


IPL 2022 Final: જો વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો કેવી રીતે થશે ચેમ્પિયનનો નિર્ણય?


અમદાવાદ: સોલા ભાગવત બ્રિજ પર ટુ-વ્હીલરને કારે મારી ટક્કર, પુલ પરથી નીચે પટકાતા દંપત્તિનું મોત


યોગી સરકારનો આદેશ- મહિલા કર્મચારીઓ પાસે સાંજે સાત વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી મરજી વિના કામ નહી કરાવી શકાય