Parineeti Chopra Post: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ 13 મે 2023ના રોજ AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી છે. બંનેની સગાઈ દિલ્હીના કપૂરથલા હાઉસમાં ધામધૂમથી કરવામાં આવી હતી. જેમાં અનેક રાજનેતાઓ સાથે બોલિવૂડ સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. સાથે જ સગાઈના ત્રણ દિવસ બાદ પરિણીતી દિલ્હી છોડીને મુંબઈ જવા રવાના થઈ ગઈ છે. જેની જાણકારી ખુદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા બધાને આપી હતી.

Continues below advertisement





પરિણીતીએ દિલ્હીનો એક ફોટો શેર કરી લખી દિલની વાત 


પરિણીતી ચોપડા દિલ્હીને બાય બાય કહી ચૂકી છે. તે જ સમયે દિલ્હી અને તેના જીવનના પ્રેમ, રાઘવને વિદાય આપતા પહેલા પરીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર શહેરની એક તસવીર પણ શેર કરી છે. જેની સાથે તેણે લખ્યું- બાય બાય દિલ્હી... મારા હૃદયને પાછળ છોડીને... પરીના આ કેપ્શનને જોઈને સ્પષ્ટપણે કહી શકાય છે કે તે તેના ભાવિ વર રાઘવને ખૂબ જ મિસ કરવા જઈ રહી છે.






કપલ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાશે


સગાઈ બાદ પરી અને રાઘવ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. જેના માટે અભિનેત્રીએ તેની કઝીન અને બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાને મહત્વની જવાબદારી સોંપી છે. પ્રિયંકાએ પરી અને રાઘવને અભિનંદન આપવા માટે તેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. પ્રિયંકાની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં પરીએ લખ્યું કે - 'મીમી દીદી, ટૂંક સમયમાં જ તમે છોકરીવાળાની ડ્યુટી તેમને મળવાની છે. તૈયાર થઈ જો..'






જણાવી દઈએ કે પરિણીતી અને રાઘવ વચ્ચેના સંબંધોનો ખુલાસો ત્યારે થયો હતો જ્યારે બંને સતત લંચ અને ડિનર ડેટ પર જોવા મળતા હતા. જ્યારે કપલ આઈપીએલ મેચ જોવા ગયા ત્યારે તેમની એક રોમેન્ટિક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જે બાદ તેમના સંબંધો પર મહોર મારી દેવામાં આવી હતી.