Raju Srivastav Health Update : 58 વર્ષના કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવની (Raju Srivastav) હાલત નાજુક છે. કાલે એટલે કે, 10 ઓગષ્ટના રોજ જિમમાં વર્કઆઉટ દરમિયાન રાજૂ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર બાદ તેમને દિલ્હીની એમ્સ (AIIMS) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લેટેસ્ટ અપડેટ મુજબ રાજૂ શ્રીવાસ્તવની હાલત અત્યારે નાજુક છે. 


રાજૂ શ્રીવાસ્તવના ભાઈ દીપૂ શ્રીવાસ્તવે એબીપી ન્યુઝને જણાવ્યું કે, જ્યારથી રાજૂને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે, ત્યારથી તેમને હોશ નથી આવ્યો. જો કે, સૂત્રોએ જણાવ્યા મુજબ રાજૂ શ્રીવાસ્તવ હાલ વેંટીલેટર ઉપર છે. રાહતની વાત એ છે કે, ક્લીનિકલ મેડિકેશનને રેસ્પોન્ડ કરી રહ્યા છે.


દીપૂ શ્રીવાસ્તવે ડોક્ટરના હવાલાથી એબીપી ન્યુઝને કહ્યું કે, રાજૂ શ્રીવાસ્તવની હાલત ચિંતાજનક છે અને હાલ તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. દીપૂએ જણાવ્યું કે, એમ્સના ડોક્ટર્સ રાજૂને હોશમાં લાવવાની ભરપૂર કોશિશ કરી રહ્યા છે પરંતુ હજી સુધી તેમને હોશ નથી આવ્ય અને તેમના શરીરમાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની હલચલ જોવા નથી મળી. જેનાથી ડોક્ટર્સ અને તેમના સંબંધીઓની ચિંતા વધી રહી છે.


ઉલ્લેખનીય છે કે, રાજૂ શ્રીવાસ્તવની આ પહેલાં બે વખત એંજિઓપ્લાસ્ટી થઈ ચુકી છે. પહેલી વખત 10 વર્ષ અગાઉ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અને 7 વર્ષ પહેલાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એંજિઓપ્લાસ્ટી થઈ છે.


વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક


ઉલ્લેખનીય છે કે, બુધવારે રાજુ શ્રીવાસ્તવ દક્ષિણ દિલ્હી પાસેની એક હોટલમાં રોકાયા હતા. તે જ સમયે, રાજૂ શ્રીવાસ્તવ દક્ષિણ દિલ્હીના કલ્ટ જિમમાં વર્કઆઉટ કરવા ગયા હતા. અહીં  ટ્રેડમિલ પર વર્કઆઉટ કરતી વખતે રાજૂ શ્રીવાસ્તવ અચાનક જમીન પર પડી ગયા અને બેહોશ થઈ ગયા. જે બાદ કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. દરમિયાન રાજૂ શ્રીવાસ્તવનું એઈમ્સમાં ચાલી રહેલી સારવાર દરમિયાન એન્જીયોપ્લાસ્ટીનું ઓપરેશન કરવામાં આવ્યું છે


આ પણ વાંચોઃ


RBIએ આ બેન્કનું લાયસન્સ કર્યું રદ, છ સપ્તાહમાં બેન્ક થઇ જશે બંધ, શું તમારું તો એકાઉન્ટ નથી ને ?


PIB Fact Check: શું તમે 20 રૂપિયાની કિંમતનો તિરંગા ધ્વજ ખરીદશો તો જ તમને રાશન મળશે? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોનું સત્ય


'જીન્સ ના પહેર, હવે તારા લગ્ન થઇ ગયા છે...' પતિએ ટોકતા પત્નીએ કરી દીધી હત્યા