દેહરાદૂનઃ દેશભરમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. ગઈકાલે  જાણીતા સંગીતકાર વાજિદ ખાનનું નિધન થયું હતું ત્યાં વધુ એક અભિનેત્રી મોહના કુમારી પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે.


જાણીતી ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કેહલાતા હૈની એક્ટ્રેસ મોહના કુમારીને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. મોહના કુમારીના પતિ સુયશ, સસરા અને ઉત્તરાખંડના મંત્રી સતપાલ મહારાજ, જેઠાણી આરાધ્યા અને તેના પાંચ વર્ષના પુત્ર સહિત તેમના ઘરમાં કામ કરતાં 17 લોકોને કોરોના થયો છે. હાલ તમામ ઋષિકેશની એઇમ્સમાં દાખલ છે.


મોહનાએ એબીપી ન્યૂઝને કહ્યું, આપણા ભારતીયોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ સારી હોય છે. અમે ઝડપથી આમાંથી મુક્ત થઈ જઈશું અને ઠીક થઈને ઘરે આવીશું. મોહના કોવિડ-19ની ઝપેટમાં બાદ હોસ્પિટલમાં છે અને ક્વોરન્ટાઈનના તમામ નિયમોનું કડકાઈથી પાલન કરી રહી છે.




મોહના કુમારીના લગ્ન ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં ઉત્તરાખંડના પર્યટન મંત્રી સતપાલ મહારાજના પુત્ર સુયશ રાવત સાથે હરિદ્વારમાં થયા હતા. મોહના-સુયનાએ લગ્ન બાદ આપેલા રિસેપ્શનમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી.