મુંબઈઃ રાખી સાવંત કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની જિંદગી સાથે દરેક વાતો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. રાખી ક્યારેય લોકોને ચોંકાવવામાં પીછેહઢ નથી કરતી, તેના ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ પર નજર કરશો તો થોડા દિવસોથી તે અધ્યાત્મ અને ધર્મના માર્ગે વળી હોય તેમ લાગે છે. તે ઈસુ ખ્રિસ્ત અને અન્ય ભગવાનો અંગે વાત કરતી રહે છે અને સચ્ચાઈનું જ્ઞાન વહેંચતી રહે છે. એટલું જ નહીં ક્રિસમસના અવસર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ભજન ગાઈ રહી છે અને ભગવાનનો આભાર માની રહી છે.

રાખીએ ઈન્સ્ટાગ્રામ પર બે વીડિયો પોસ્ટ કર્યા છે. જેમાં એક વીડિયોના કેપ્શનમાં લખ્યું, સ્વર્ગમાં તમારું સ્વાગત છે મિત્રો. બીજા વીડિયોમાં લોકોને ભગવાનમાં વિશ્વાસ રાખવાનું અને સચ્ચાઈનો સાથ આપવાનું કહ્યું છે. સચ્ચાઈના રસ્તા પર રાખી સાવંત તમને લઈને જશે તેમ કહી રહી છે.

રાખીના આ વીડિયો ટીવી એક્ટર કુશલ પંજાબીના મોત તરફ ઈશારો કરે છે. રાખી કહે છે કે કોઈએ આત્મહત્યા ન કરવી જોઈએ કારણકે આ શરીર પરમેશ્વનું છે. ભગવાન બધુ જોઈ રહ્યો છે. તેના અંગે વિચારો.

આ વીડિયોમાં જ્ઞાન આપ્યા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ ખરી-ખોટી સંભળાવી રહ્યા છે. લોકો રાખીને કહી રહ્યા છે પહેલા તું તારા અંદર ડોકિયું કર અને ફાલતુનું જ્ઞાન આપવાનું બંધ કરો.


અમદાવાદ-મુંબઈ વચ્ચે કયારથી શરૂ થશે તેજસ ટ્રેન, કેવી હશે સુવિધા, જાણો વિગત

BS6 સાથે લોન્ચ થઈ Toyotaની સેડાન Yaris, જાણો કિંમત

રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા વન ડેની ટિકિટનું ક્યારે શરૂ થશે બુકિંગ ? કેટલો છે ટિકિટનો ભાવ, જાણો વિગતે