કંગના રનૌતે શું કર્યું ટવિટ
કંગના રનૌતે આ ટવિટમાં નાથુરામ ગોડસેની તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતા કંગનાએ લખ્યું કે, દરેક કહાણીના ત્રણ પાસા હોય છે. એક મારૂં. એક આપનું અને એક સત્યનું, સારી કહાણી કહેનાર ન બંધાયેલો હોય છે, ન તો તે કંઇ છુપાવે છે. તો આ રીતે આપણા પુસ્તકો પણ બેકાર છે. જેમાં માત્ર ખોટો દેખાડો છે.
ટવિટમાં કંગનાએ ગાંધીજીની હત્યા કરનાર નથુરામ ગોડસેની તસવીર મૂકી છે અને તેનું સમર્થન કરતી જોવા મળે છે. કંગનાના આવા વલણના કારણે યુઝર્સ કંગનાની દેશભક્તિ પર સવાલ ઉઠાવી રહ્યાં છે.