'સંજુ'ની રિલીઝ પહેલા મનિષા કોઇરાલાએ વિવાદિત નિવેદન, કહ્યું- એક્ટર અને એક્ટ્રેસ વચ્ચે રખાય છે આવો ભેદભાવ
આની સાથે મનિષાએ કહ્યું કે, અમારી સાથે કામ કરનારા એક્ટર્સને આજે પણ 20 વર્ષની છોકરી સાથે રોમાન્સ કરે છે પણ ફિમેલ એક્ટ્રેસને 40ની થતાં જ તેને માંનો રૉલ ઓફર કરી દેવામાં આવે છે, આ વાતને હું સમજી નથી શકી. આશા છે કે આવનારા દિવસોમાં આ બદલાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, મનિષા 90ના દાયકાની ફિમેલ એક્ટ્રેસ છે. તેને વર્ષ 1991માં આવેલી 'સૌદાગર' ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.
મનીષાને પુછવામાં આવ્યું કે 90ના દાયકાના મેલ એક્ટર્સ આજના સમયે પણ હીરોઇન સાથે રોમાન્સ કરતાં બતાવવામાં આવે છે પણ ફિમેલ એક્ટ્રેસ સાથે આવું નથી થતું. તો મનિષાએ કહ્યું કે, મોટાભાગની એક્ટ્રેસના લગ્ન થઇ ગયા છે અને પોતાના પરિવારમાં બિઝી છે. જ્યારે કોઇ એક્ટ્રેસ ફિલ્મોમાં વાપસી કરવાનું વિચારે છે ત્યારે ઘણીબધી વસ્તુઓનો વિચાર કરવો પડે છે,પણ મેલ એક્ટ્રેસ સાથે આવુ નથી હોતું.
મનિષાએ કહ્યું કે, 'ફિલ્મોની સરખામણી કરવી થોડી આસાન હતી. આજે લોકોમાં એકબીજાથી આગળ નીકળી જવાની હોડ લાગી છે, અને દરેક વ્યક્તિ પોતાના 100 ટકા આપવા માગે છે નવા એક્ટર્સ આવી રહ્યાં છે અને એકબીજાથી આગળ વધવાની રેસ ખુબ મુશ્કેલ થતી જઇ રહી છે. ફિલ્મોની ક્વૉલિટીની વાત કરીએ તો પહેલા કરતાં ઘણી સારી થઇ ગઇ છે.'
'સંજુ' ફિલ્મના પ્રમૉશન દરમિયાન મનિષા કોઇરાલાએ બૉલીવુડ લાઇફ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાત કહી. મનિષાને પુછવામાં આવ્યું કે 90ના દાયકાથી અત્યાર સુધી તમે ફિલ્મી દુનિયામાં કેટલુ અંતર મેળવો છો? જવાબ આપતા મનિષાએ કહ્યું - 'તે સમયેની વાત કરુ તો આટલો તનાવ ન હતો.'
મુંબઇઃ 'સંજુ' ફિલ્મ રિલીઝ થવામાં હવે કલાકોનો સમય બાકી છે ત્યારે આ ફિલ્મમાં નરગિસ દત્તનો રૉલ નિભાવનારી હીરોઇને મનિષા કોઇરાલાએ કેટલાક સિક્રેટ રાજ ખોલ્યા છે, જેને લઇને બૉલીવુડમાં હંગામો પણ મચી શકે છે. જોકે, ટ્રેડ પંડિતોનું માનીએ તો આ ફિલ્મને પહેલા જ દિવસે 30 કરોડની બમ્પર ઓપનિંગ મળી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -