મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’ને વધુ એક ફટકો પડ્યો છે. સીરિયલમાં તારક મહેતાનાં પત્નિ બનતાં નેહા મહેતા અને ગુરુચરણ સિંહ આ સીરિયલ છોડી ચૂક્યા છે. હવે  ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં ‘ટપુ’નું પાત્ર ભજવતા એક્ટર રાજ અનડકટે શો છોડવાનો નિર્ણય લીધો છે. મીડિયાના અહેવાલ પ્રમાણે, સીરિયલના પ્રોડક્શન હાઉસે રાજ અનડકટનો કોન્ટ્રાક્ટ રિન્યૂ નથી કર્યો.

 

સિરિયલના સેટ પર બબીતા બનતાં મુનમુન દત્તા તથા ટપુડા બનતા રાજ અનડકટના અફેરના કારણે વાતાવરણ બગડતું હોવાથી પ્રોડક્શન હાઉસે ટપુનો કોન્ટ્રાક્ટ રીન્યુ નહીં કર્યો હોવાની ચર્ચા છે. મુનમુન તથા રાજ એકબીજાના ગાઢ પ્રેમમાં હોવાની વાતો લાંબા સમયથી ચાલે છે.

 

મીડિયાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે એવું કહીને વાત ઉડાડી દીધી કે, મને કશી ખબર નથી.  જો કે સીરિયલના નિર્માણ સાથે સંકળાયેલા સૂત્રો રાજની વિદાયની વાતને સાચી માને છે.

 

બીજી તરફ એવા પણ અહેવાલ છે કે, લાંબા સમયથી રાજ શો છોડવાનું વિચારી રહ્યો હતો.  આ માટે તેણે પ્રોડક્શન હાઉસને વાત પણ કરી હતી પણ કોઈ નિર્ણય નહોતો લેવાયો. આ જ સમયગાળામાં  રાજનો કોન્ટ્રાન્ક્ટ રિન્યૂ થવાનો હતો, પણ તેણે જાતે જ કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવાની ના પાડી દીધી હતી. આ અહેવાલ પ્રમાણે ક્રિસમસ પહેલાં તે પોતાનું શૂટિંગ પણ પૂરું કરી લેશે અને એ પછી તે સિરિયલમાં જોવા નહીં મળે. નવા વરસથી નવો ટપુ જોવા મળશે.

 

મુંબઈમાં જન્મેલા રાજ અન઼કટે 2016માં ટીવી સિરિયલ 'એક રિશ્તા સાંઝેદારી કા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. 'તારક મહેતા..'માં પહેલાં ભવ્ય ગાંધીએ ટપુનો રોલ કર્યો હતો. માર્ચ, 2017 સુધી ભવ્ય ગાંધી જ ટપુ બનતો હતો પણ એ પછી તેણે સિરિયલ છોડી દીધી હતી. તેના સ્થાને રાજ અનડકટને ટપુના રોલ માટે લેવામાં આવ્યો હતો.

 


આ પણ વાંચો


UP Election 2022: વિધાનસભા ચૂંટણીમાં કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહી કરે BSP, માયાવતીએ કર્યો મોટો દાવો


ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચ યોજાશે, જાણો કોણે કર્યો આ દાવો?


કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદને ભેટ, ફલાય ઓવરબ્રિજ સહિત અનેક કામોનું લોકાર્પણ કર્યું


Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસ, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?