કપિલનો કોમેડી શો ‘The Kapil Sharma Show’નું પ્રસારણ SONYએ કર્યું બંધ, જાણો શું કારણ આપ્યું
નવી દિલ્હીઃ સોની એન્ટરટેનમેન્ટ પર જાણીતો કોમેડિયન શો ધ કપિલ શર્મા શોનું પ્રસારણ બંધ કર્યું છે. જોકે આ શોને હંમેશા માટે નહીં પણ થોડા સમયા માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કારણ કે હાલમાં કપિલ શર્મા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યો છે. જેના કારણે તેને થોડા સમય માટે પોતાનો શો બંધ કરવો પડી રહ્યો છે. ટીવી ચેનલના અધિકારીઓએ ગુરુવારે કહ્યું કે, કપિલના સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓને કારણે શોને હાલમાં બંધ કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચેનલના સત્તાવાર પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે, કપિલનું સ્વાસ્થ્ય વિતેલા કેટલાક સમયથી ઠીક નથી જેના કારણે અમે એક નાનો બ્રેક લેવા માટે પરસ્પર સહમત થયા છે. જોકે, તે એક વખત સંપૂર્ણ સ્વસ્થ્ય થઈ જશે એટલે અમે ફરીથી શૂટિંગ શરૂ કરીશું. અમે કપિલ સાથે અમારા સંબંધને મહત્ત્વ આપીએ છીએ અને તેને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.
જણાવીએ કે કપિલ શર્મા શોનું શૂટિંગ એન્ડ ટાઈમે તેના સ્વાસ્થ્યને કારણે રદ્દ કરવાના સમાચાર આવ્યા હતા. કપિલના શોના શૂટિંગ સેટ પર આવેલ બોલીવુડ બાદશાહ શાહરૂખ ખાન, અનિલ કપૂર, અજય દેવગન સહિત અનેક બોલીવુડ કલાકાર કથિત રીતે તેના સેટ પરથી શૂટિંગ કર્યા વગર પરત ગયા હતા. ચેનલના અધિકારીઓ અનુસાર કપિલ બીમાર છે અને નવા શો શૂટ થયા નથી માટે સોની ટીવી ચેનલ પર વીકએન્ડ પર જૂના એપિસોડ રાતે 8 કલાકે સોની એન્ટરટેનમેન્ટ ટેલીવિઝન પર પ્રસારિત કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -