વિશ્વ હિંદુ પરિષદની ઘમકી- યૂપીના સિનેમાઘરોમાં નહિં ચાલવા દઈએ ‘પદ્માવતી’ ફિલ્મ
લખનઉ: નિર્દેશક સંજય લીલા ભંસાણીની આગામી ફિલ્મ ‘પદ્માવતી’ને લઈને ફરી વિવાદ ઊભો થયો છે. વિશ્વ હિંદુ પરિષદે આજે ધમકી આપી છે કે ડિસેમ્બરમાં રિલીઝ થનારી ફિલ્મ ‘પદ્માવતી’ને ઉત્તરપ્રદેશના સિનેમાઘરોમાં નહીં ચાલવા દઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું કે, ભારતની સાંસ્કૃતિક ધરોહરને નષ્ટ કરવાની કોશિશ કરનારાઓને જડબાતોડ જવાબ આપશે.
વિહિપના પ્રદેશ સહમંત્રી રાકેશ વર્માએ આજે ગોંડામાં કહ્યું કે, ‘પદ્માવતી’ ફિલ્મમાં રાજસ્થાની જૌહરનુ અપમાન કરવામાં આવ્યું છે અનેવ વિદેશી હુમલાવરોની પ્રશંસા કરવામાં આવી છે. કોઈ પણ રાષ્ટ્રભક્ત મહારાણી પદ્માવતીનું અપમાન સહન નહીં કરી શકે.
તેની સાથે તેમણે કહ્યું કે, સરકારને ફિલ્મ રિલીઝ પર રોક લગાવવાની માંગ કરી છે અને કહ્યું કે જો સરકાર આ સંવેદનશીલ મુદ્દાને નજરઅંદાજ કરે તો વિહિપના કાર્યકર્તા ચુપ નહીં બેસે. અમે પ્રદેશના સિનેમાઘરોમાં તેનો વિરોધ પ્રદર્શન કરીશું. પહેલા પણ વિહિપ તથા બજરંગ દળના કાર્યકર્તાએ શહેરના રામલીલા મેદાનમાં જુલૂસ કાંઢી નારેબાજી કરી પદ્માવતી ફિલ્મનું પોસ્ટર સળગાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -