Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
ગોવિંદા અને કૉમેડિયન કૃષ્ણા વચ્ચે તિરાડ! ગોવિંદાની પત્ની સુનિતાએ શું કરી સ્પષ્ટતા?
મુંબઈ: કૉમેડિયન કૃષ્ણા અભિષેક અને અભિનેતા ગોવિંદા વચ્ચેનો મતભેદ ફરી એકવાર સામે આવી ગયો છે. ગોવિંદાની પત્ની સુનિતાના એક નિવેદનથી સ્પષ્ટ થાય છે કે હાલમાં કૃષ્ણા અને તેમના વચ્ચેના સંબંધ બરાબર નથી ચાલી રહ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવી દઈએ કે કૃષ્ણા તે સમયે પોતાના મામા ગોવિંદાથી નારાજ થઈ ગયો હતો, જ્યારે તે તેના શોના બદલે કપિલ શર્માના શોમાં જતા રહ્યા હતા. ગોવિંદા પણ કૃષ્ણાથી નારાજ હતો, કારણે કે તે પોતાના શોમાં બોલ્યો હતો કે, મેં ગોવિંદાને મામા રાખ્યા છે.
હાલમાં જ કૃષ્ણાએ પોતાના જોડિયા બાળકોનો જન્મ દિવસ ઉજવ્યો, પરંતુ આ પાર્ટીમાંથી ગોવિંદા અને તેની પત્ની સુનિતા ગાયબ હતા. સુનીતાએ એક વાતચીતમાં કહ્યું, અમે તેનાથી અંતર બનાવી લીધું છે અને આ ક્યારેય નહીં બદલાય. કૃષ્ણાના દીકરાઓની બર્થડે પાર્ટીથી દૂર રહેવાના સવાલ પર સુનિતાએ કહ્યું, અમે તે દિવસે લંડનમાં હતા. પરંતુ પાર્ટીમાં શામેલ ન થવાનું આ જ એકમાત્ર કારણ નથી, હકીકતમાં અમે બોલાવવામાં જ નહોતા આવ્યા.
ગોવિંદાના પત્ની સુનિતાએ કહ્યું કે, જો કૃષ્ણાએ તેમને બોલાવ્યા હોત તો પણ તેઓ ન જાત. અમે હજુ સુધી કૃષ્ણાના બાળકોને જોયા નથી. તેનું કારણ તેના માતા-પિતાનો વ્યવહાર છે. ગોવિંદા સાચો હતો. આ મારી ભૂલ હતી કે મેં તેમને બીજા ચાન્સ આપ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -