રાજ્યસભાની ચૂંટણીમાં આવ્યો નવો વળાંકઃ હવે શું છે છેલ્લી સ્થિતિ? જાણો વિગત
ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્યસભાની ચાર સીટ માટે કુલ સાત ઉમેદવારો હતો. આ પૈકી ભાજપ તરફથી મનસુખ માંડવીયા, પરશોત્તમ રૂપાલા, કિરીટસિંહ રાણા અને રજનીકાંત પટેલે ઉમેદવારી નોંધાવી હતી. આ તમામના ફોર્મ માન્ય ઠર્યા હતા. તેથી રજનીકાંત પટેલે ફોર્મ ચકાસણીના દિવસે જ ઉમેદવારી પાછી ખેચી લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સમજૂતીના પગલે કિરીટસિંહ રાણા અને પી.કે.વાલેરાએ ઉમેદવારી પત્ર પાછા ખેંચતાં હવે કોંગ્રેસમાંથી નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિક તથા ભાજપમાંથી મનસુખ માંડવીયા અને પરશોત્તમ રૂપાલા બિનહરીફ ચૂંટાય તે નક્કી થઈ ગયું છે.
નારણ રાઠવા, અમીબેન યાજ્ઞિક અને પી.કે. વાલેરા એ ત્રણેયના ફોર્મ પણ માન્ય ઠરતાં કોંગ્રેસ તરફથી પણ કુલ ત્રણ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. આમ, ચાર બેઠક માટે કુલ છ ઉમેદવારો થતાં મતદાન કરાવવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી.
જોકે, આજે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીની ભાજપના નાયબ દંડકની ઓફિસમાં બેઠક થઈ હતી. બેઠકમાં બંને પક્ષે બે-બે ઉમેદવારો ઊભા રખાય અને રાજ્યસભાની ચૂંટણી બિનહરીફ થાય તેવી સમજૂતી કરી હતી.
બીજી તરફ કોંગ્રેસ તરફથી નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિકે ઉમેદવારી નોંધાવી હતી. નારણ રાઠવાની ઉમેદવારીને લઈને થયેલા ગુંચવાડાને પગલે કોંગ્રેસ પી.કે. વાલેરા પાસે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવડાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -