ગાંધીનગરમાં ગાયે અડફેટે લેતાં ભાજપના ક્યા સાંસદને પાંસળીઓમાં ફેક્ચર થયું, જાણો વિગત
પાટણના સાંસદ લીલાધર વાઘેલાને ગાંધીનગર ખાતે સેક્ટર 21માં તેમના ઘર બહાર જ તેમને એક ગાયે અડફેટે લીધા હતા. સાંસદ વાઘેલાને સારવાર માટે એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તબીબોના રિપોર્ટ પ્રમાણે પાંસળીઓમાં ફેક્ચર હોવાનું સામે આવ્યું છે. આ સિવાય તેમને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે. હાલ તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર: સામાન્ય માણસો ગાયની અડફેટે આવે તે તો સમજાય પરંતુ હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે તેને જોતા સૌ આશ્ચર્ય થયા હતા. પાટણના સાંસદ લીલાધર વાઘેલાને ગાયે અટફેટે લીધા હતા જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
ગાંધીનગર નિવાસ સ્થાનથી પાટણના સાંસદ લીલાધર વાઘેલા સવારે વોકિંગ કરવા નીકળ્યા હતા તે દરમિયાન રસ્તામાં જતી ગાયે તેમને અડફેટે લેતા ગંભીર ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -