સુરતઃ પતિ બિઝનેસ પર જાય પછી જુગાર રમતી 14 યુવતીઓ ઝડપાઈ, જાણો કોની કોની ધરપકડ?

તમામ મહિલાઓના પતિ એમ્બોઈડરી અને હીરાના ધંધા સાથે સકળાયેલા હોય તેવી માહિતી મળી છે. છેલ્લા ઘણાં સમયથી આ જુગારધામ ચાલતું હતું. વધુ તપાસ વરાછા પોલીસ કરી રહી છે. વરાધા પોલીસે રેડ પાડતાં સોસાયટીના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં.
બીજા રૂમમાં મધુબેન તાનુ ચોહલીયા(રહે,ઈશ્વરકૃપા સોસાયટી,માતાવાડી,વરાછા), નીલમ નરસિંહ ગોંડલીયા(રહે,મોહનકાકાની ચાલી, વર્ષા સોસાયટી,માતાવાડી,વરાછા), સોનલ રમેશ અરજણ(રહે,ભગુનગર સોસાયટી,વરાછા) પકડાયા હતાં.
દયાબેન ભરત દુલા(રહે,નદનવંન સોસાયટી, પુણાગામ), અનીતા રાજેશ ગઢાણીયા(રહે,વર્ષા સોસાયટી,વરાછા), ભાવના નરોત્તમ સુવાગીયા(રહે,રણુજાધામ સોસાયટી, વરાછા) અને દયા નવીન મણીયાર(રહે,તીરૂપતિ એપાર્ટ, સીતાનગર,વરાછા) છે.
જયાબેન જીવણ ગોહિલ(રહે,નદંનવન સોસાયટી,પુણાગામ), જોષીકાબેન અરવિંદ પટેલ(રહે,વર્ષો સોસાયટી, એલ.એચ.રોડ,વરાછા), વનીતા કૌશિક માંડલીયા(રહે,માત્રુશકિત સોસાયટી, કાપોદ્રાન), ચંપા અરવિદ મેઘાણી(રહે,રણુજાધામ સોસાયટી, વરાછા) પકડાયા હતા.
મહિલાઓની સાથે જુગાર રમવામાં 3 યુવકોને પોલીસે પકડી પાડ્યા છે. પકડાયેલા જુગારીઓમાં ભગવાન મોહન ત્રાડા અને તેની પત્ની ગીતા ત્રાડા (બન્ને રહે,રણુજાધામ સોસાયટી, વરાછા),કલ્પેશ રમણીક જોષી, હિતેશ રસિક પરમાર(બન્ને રહે,પારેખનગર સોસાયટી,પુણાગામ), નીમુ એભલ બલદાણીયા(રહે,અમરદીપ એપાર્ટ,પુણાગામ) પકડાયા હતાં.
સુરત: શનિવારે સુરતના વરાછા વિસ્તારમાં 14 મહિલા સહિત 17 જુગારીઓને વરાછા પોલીસે ઝડપી પાડી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી રૂપિયા 28,160ની રોકડ કબજે કરી હતી. વરાછા પોલીસે બાતમીને આધારે વરાછા રણુજાધામ સોસાયટીમાં એક મકાનમાં રેડ પાડી હતી. તે દરમિયાન ત્યાં જુગાર રમતી મહિલાઓ રંગેહાથે પકડાય હતી. સોસાયટીમાં પોલીસે રેડ પાડતાં આસપાસના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં.