Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
ગુજરાતમાં માત્ર 10 રૂપિયામાં કામદારોને ટીફિન ભરી અપાશે, જાણો શું હશે ખાવાનું તથા ક્યાંથી મળશે?
અમદાવાદમાં આ યોજનાનો આરંભ થયા બાદ આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં આ યોજના લાગુ પાડવામાં આવશે. ઉપરાંત અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી વિવિધ તીર્થધામમાં સીનિયર સિટિઝનને દર્શને લઇ જતી ૧૧ જેટલી બસોને પ્રસ્થાન કરાવાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅઠવાડીયાના સાતે દિવસ ભોજન અપાશે. ૬૮ જેટલા અલગ અલગ કડીયા નાકા પર અન્નપૂર્ણા વાહન ત્યાં જઇને મજૂરોને સ્થળ પર જ ભોજન આપશે. ભોજન લેવા માટે મજૂર પાસે યુવીન કે શ્રમિક તરીકેના ઓળખ કાર્ડ હોવા જરૃરી છે.
તેઓ શારિરીક મજૂરીનું કામ કરી શકે તે માટે રોજ તેઓને ૨૫૦ ગ્રામ શાક અને બે લીલા મરચા અપાશે. કામદારોને પૂછીને પછી જ મેનુ નક્કી કરાયું છે. સરકારને આ એક સમયના ભોજનનો એક શ્રમિકનો ખર્ચ લગભગ ૩૦થી ૩૨ રૃપિયાનો થશે. ભોજનમાં ૩૫૦ ગ્રામ રોટલી અથવા થેપલા અને ૨૦ ગ્રામ અથાણું અપાશે.
આ અંગે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, બાંધકામ મજૂરોને રૂપિયા ૧૦ના ટોકનથી બપોરનું ભોજન આપવાનું નક્કી કરાયા બાદ હવે તેનો અમલ કરવા માટેની કાર્યવાહી શરૂ કરાઈ છે. આવા શ્રમિકોને કેવુ ભોજન અપાશે તેનું શિડયુઅલ પણ નક્કી છે. અઠવાડીયામાં એક દિવસ ૮૦ ગ્રામ સુખડી પણ અપાશે.
અમદાવાદઃ ગુજરાત સ્થાપના દિનની ઉજવણી સાથે મે માસમાં રાજ્ય સરકાર અનેક યોજના શરૂ કરી રહી છે, જેમાં શ્રવણ તીર્થ અને શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કે અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, વડોદરા અને સુરતમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં બાંધકામ મજૂરોને કડિયા નાકા પર સવારે ભોજન આપવામાં આવશે. અમદાવાદમાં જ ૫૦ હજાર બાંધકામ કામદારોને ૧૦ રૂપિયામાં તેમનું ટીફિન ભરી આપવામાં આવશે. તો શ્રવણ તીર્થ યોજનામાં સીનિયર સિટીઝનને તીર્થધામની યાત્રાનું મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદના જગન્નાથ મંદિરથી પ્રસ્થાન કરાવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -