કૉંગ્રેસ ક્યાં ઉમેદવારોને ટિકિટ નહી આપે, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Mar 2017 06:05 PM (IST)
1
ભરત સિંહે સોલંકીએ કહ્યું, આ વખતે ચૂંટણીમાં 50 ટકા યુવાનોને પ્રાથમિક્તા આપવામાં આવશે. આ સાથે જ દરેક જિલ્લાદિઠ એક મહિલાને પણ ટિકિટ ફાળવવામાં આવશે.
2
વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોને લઈને ભરત સિંહ સોલંકીએ જણાવ્યું કે ધારાસભાની ચૂંટણીમાં બે વખત હારેલા અથવા 20 હજાર મતથી હારેલા ઉમેદાવારોની ટિકિટની ફાળવણી કરવામાં નહી આવે.
3
સમગ્ર ગુજરાતમાં સ્ક્રીનિંગ કમિટીની નિમણુક કરવામાં આવશે. કૉંગ્રેસે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગુજરાતમાં ચૂંટણી વહેલી યોજાશે. કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરત સિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પાંચ જગ્યાએ જનસભા યોજવામાં આવશે.
4
અમદાવાદ: ગુજરાત કૉંગ્રેસે આદિવાસી યાત્રાને સ્થગિત કરી છે. ગુજરાતમાં હાલ પરિક્ષાનો માહોલ હોવાના કારણે કૉંગ્રેસે આદિવાસી યાત્રાને સ્થગિત કરી છે. આદિવાસી યાત્રાના બદલે હવે કૉંગ્રેસ જનસભાઓ કરશે.