જોહાનિસબર્ગ: બાઈક અકસ્માતમાં ગુજરાતના પટેલ યુવકનું મોત, પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ
ઘટનાની જાણ લસુન્દ્રા ખાતે રહેતા સ્વજનોને થતાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. અંકિતનો પરિવાર લસુન્દ્રાથી વડોદરા સ્થાયી થયો હોઈ સ્વજનો ત્યાં જવાર રવાના થયા હતાં. હાલમાં જોહાનીસબર્ગ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનડિયાદના કઠલાલના લસુન્દ્રા ખાતે રહેતા અંકિત પટેલ છેલ્લા 3 વર્ષથી પત્ની સાથે આફ્રિકામાં સ્થાયી થયો હતો. બુધવારે અંકિત બાઈક લઈને જોહાનીસબર્ગના માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માતમાં અંકિતનું મોત નીપજ્યું હતું. પુત્રના મોતથી પરિવારજનો આઘાતમાં સરી પડ્યો હતો.
નડિયાદ: નડિયાદના કઠલાલ તાલુકાના લસુન્દ્રાના યુવકનું જોહાનિસબર્ગ ખાતે અકસ્માતમાં મોત નીપજ્યું હતું. યુવકના માતા-પિતાને જાણ થતાં પરિવારજનો ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યાં હતાં. જ્યારે યુવકના મોતના સમાચાર મળતાં સગા-સંબંધીઓને તેમના ઘરે વડોદરા દોડી આવ્યા હતાં. યુવકના માતા-પિતા હવે વડોદરામાં સ્થાયી થયા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -