ગુજરાતમાં ખેડૂતોનું દેવુ માફ કરવા ભાજપ સરકારનો ઈન્કાર, જાણો શું આપ્યું કારણ?
આ ઉપરાંત ડ્રિપ ઇરિગેશન, ગોડાઉન બનાવવા, કોલ્ડસ્ટોરેજ બનાવવા, કાંટાળા તારની વાડ બનાવવા સહિતની યોજનાઓમાં પણ હજારો કરોડની સબસિડી રાજ્ય સરકાર ચૂકવે છે. ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ સિંચાઇ વિભાગ અને નર્મદા યોજનાનો મોટો ખર્ચ છે. સૌની, સુજલામ સુફલામ જેવી પાઇપલાઇન યોજનાઓ પાછળ પણ મોટી રકમ ખર્ચવામાં આવે છે જે અન્ય રાજ્યોમાં નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત સરકારે પહેલેથી જ ખેડૂતો માટે હજારો કરોડની યોજના અમલમાં મૂકી છે. ચાલુ વર્ષના બજેટમાં ખેતી વિષયક નવા 1.25 લાખ જોડાણ આપવા માટે 2 હજાર કરોડની જોગવાઇ કરાઇ છે. દર વર્ષે ખેડૂતોને 4025 કરોડ રૂપિયાની વીજ સબસિડી ચૂકવાય છે. પાક વીમા માટે 1200 કરોડનું પ્રીમિયમ રાજ્ય સરકાર ચૂકવે છે. ધીરાણ ઉપર 313 કરોડની વ્યાજ સહાય ચૂકવાય છે.
આ મુદ્દે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારે પહેલેથી જ કરોડોની યોજનાઓ અમલમાં મૂકી છે. આ અંગે પૂછતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, દરેક રાજ્યોની સ્થિતિ અને જરૂરિયાત અલગ અલગ હોય છે.
ગાંધીનગરઃ યુપીમાં યોગી આદિત્યનાથ દ્વારા ખેડૂતોનું 37 હજાર કરોડનું દેવું માફ કર્યા બાદ હવે અન્ય રાજ્યમાં પણ ખેડૂતોનું દેવું માફ કરવાની માગ ઉઠી રહી છે. જોકે સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બનેલ આ મુદ્દાને લઈને ગુજરાત સરકારે પણ સ્પષ્ટતા કરી દીધી છે. ગુજરાતમાં ખેડૂતોનું દેવું માફ કરવા બાબતે રાજ્ય સરકારે કોઇ તૈયારી દર્શાવાઇ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -