જયશ્રીગિરી છે મૂળ ખંભાતની, જાણો ત્યાં પણ કર્યા છે કેવા ગોરખધંધા ? કોને કોને લગાડ્યો છે ચૂનો ?
આ ઉપરાંત ખંભાતમાં શકરપુરા રોડ પર પોતાની દુકાન ધરાવતા શૈલેષભાઇ પણ બન્યા હતા. સાધ્વી કાપડ અને કરિયાણાની દુકાન ધરાવતા શૈલેષભાઇ પાસેથી 38 હજાર રૂપિયાનો કરિયાણાનો સામાન લઇ ગયા હતા હતા પરંતુ રૂપિયા ચૂકવ્યા વિના જ સાધ્વી ફરાર થઇ ગઇ હતી.
સિધ્ધેશ્વરી સોસાયટીના 116મા નંબરનું મકાન સાધ્વી જયશ્રીગીરીએ તેમના પતિ બિપીન ભોગીલાલ બ્રહ્મભટ્ટના નામે કરાવ્યું હતું. હાલમાં કાભાઇ પોતાનું મકાન મેળવવા માટે કોર્ટમાં કેસ લડી રહ્યા છે. મહત્ત્વની વાત એ છે કે સાધ્વી જયશ્રીગીરી પ્રતિવાદી હોવા છતાં આજદિન સુધી કોર્ટમાં હાજર થતા નથી.
સાધ્વી જયશ્રીગીરીનો ભોગ ખંભાતમાં સિધ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા ૬૮ વર્ષના કાભાઈ ધૂળાભાઇ રાવળ બન્યા હતા. ABP અસ્મિતા સાથેની વાતચીતમાં કાભાઇએ જણાવ્યું હતું કે. વર્ષ ૨૦૦૧માં સાધ્વી જયશ્રીગીરી અને તેના પતિએ લોન અપાવવાના બહાને મારા ઘરના દસ્તાવેજો પર સહીઓ કરાવી લીધી હતી અને મારું મકાન તેઓના નામે કરાવી લીધું હતું.
બનાસકાંઠા જિલ્લાના સાધ્વી જયશ્રીગીરીની પાપલીલાના દિવસે દિવસે નવા નવા કરતૂતો બહાર આવી રહ્યા છે. સાધ્વી જયશ્રીગીરીનું મૂળ નામ હસુમતી પાપલીલાનો વધુ એક કિસ્સો ખંભાતમાંથી ખૂલ્યો છે.17 વર્ષ જૂના છેતરપિંડીના આ કેસના પીડિતોએ એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી.
અમદાવાદઃ સાધ્વી જયશ્રીગીરી વિરુદ્ધ રોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. સાધ્વી વિરુદ્ધ બનાસકાંઠા અને અમદાવાદમાં વિવિધ ગુના હેઠળ છ કેસ નોંધવામાં આવ્યા છે ત્યારે પોલીસ વધુ સતર્કતાથી સાધ્વી જયશ્રીગીરીની એક એક વિગતો મેળવી રહી છે.