✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાલનપુરઃ બેફામ ટેન્કરે કાર સહિત ચાર વાહનોને લીધા અડફેટે, છનાં મોતથી અરેરાટી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Feb 2018 10:03 PM (IST)
પાલનપુરઃ બેફામ ટેન્કરે કાર સહિત ચાર વાહનોને લીધા અડફેટે, છનાં મોતથી અરેરાટી
1

આ અકસ્માતના સમાચાર મળતાં લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા છમાંથી પાંચ અમીરગઢના વતની છે. જ્યારે અન્ય એક ડીસાનો વતની છે. જ્યારે છ લોકોને આ અકસ્માતમાં ઇજા પહોંચી છે. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

2

3

આ અકસ્માતમાં દિલીપભાઈ છગનભાઇ પટેલ (રહે . અમીરગઢ, ઉ.વ.42.), ભરતભાઇ પટેલ (રહે.અમીરગઢ, ઉ.વ.40 ), રાહુલભાઈ દિલીપભાઈ જોશી (રહે. પાલનપુર બ્રાહ્મણવાસ, ઉ.વ.22), સુરેશભાઈ શામજીભાઈ પટેલ (રહે. અમીરગઢ, ઉ.વ.42), પ્રકાશભાઈ ઈશ્વરજી માળી (રહે. ડીસા, ઉ.વ 32 ) અને વિઠ્ઠલભાઈ પટેલ (રહે. અમીરગઢ)નું મોત થયું છે.

4

જ્યારે છ લોકોને ઇજા થતાં તેમને સારવાર માટે મહેસાણા અને અમદાવાદ ખસેડાયા છે. આ ઘાયલોમાં રાવળ ભરતભાઈ કાળુભાઇ (ઉ.વ.38), મનોજભાઈ દેવડા (ઉ.વ.40, રહે.માલગઢ, ડીસા) અને જસવંતભાઈ પુનમભાઈ પટેલ (ઉ.વ.65, રહે. અમીરગઢ)નો સમાવેશ થાય છે.

5

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ટેન્કર ચાલકે કાર સહિત ચાર-ચાર વાહનોને અડફેટે લઈને અકસ્માત સર્જતા છ લોકોના મોતથી સમગ્ર પાલનપુરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પાલનપુરના આરટીઓ સર્કલ પાસે બેફામ બનેલા ટેન્કરે કાર સહિતના વાહનોને અડફેટે લેતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

  • હોમ
  • ગુજરાત
  • પાલનપુરઃ બેફામ ટેન્કરે કાર સહિત ચાર વાહનોને લીધા અડફેટે, છનાં મોતથી અરેરાટી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.