જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે, જેટલો આતંકવાદ વધશે તેટલી પાકિસ્તાન માટે વધારે મુશ્કેલીઓ ઊભી થશે.
કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની નીતિઓ જ ભારે પડી રહી છે. નવાઈની વાત એ છે કે, જમ્મુ જે સુરક્ષિત ગણાતું હતું ત્યાં હવે આતંકવાદીઓ ઘૂસીને હુમલા કરી રહ્યા છે.
આમ ભાજપનાં રાજમાં કુલ 281 જવાનો શહીદ થયા છે. આ ઉપરાંત વર્ષ 2018માં અત્યાર સુધીમાં પાકિસ્તાને 160થી વધુ વખત ઔયુદ્ધ વિરામનો ભંગ કર્યો છે. ગત વર્ષે પાકિસ્તાને 860 વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો.
કેન્દ્ર સરકારમાં ભાજપની સરકાર આવી ત્યારથી અત્યાર સુધીમાં 281 જવાનો શહીદ થયા છે. વર્ષ 2014માં 51, 2015માં 41, 2016માં સૌથી વધુ 66, 2017માં 83 અને 2018માં અત્યાર સુધીમાં 18 જવાનો શહીદ થયા છે.
આતંકવાદીઓ બેફામપણે ભારતમાં ઘૂસીને લશ્કરી છાવણીઓ ઉપર હુમલા કરવાની ગુસ્તાખી કરી રહ્યા છે. સુંજુવાન હુમલા બાદ શ્રીનગરમાં સીઆરપીએફ કેમ્પ ઉપરના હુમલા બાદ લશ્કર-એ-તૈયબા દ્વારા જવાબદારી સ્વીકારવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં ત્રણ દિવસમાં બીજી વખત મોટો આતંકવાદી હુમલો થયો છે. પહેલો હુમલો શનિવારે જમ્મુના સુંજુવાન ખાતે આર્મી કેમ્પ ઉપર થયો હતો. હજુ અહીં આતંકવાદીઓને શોધવાનું અને ઠાર કરવાનું ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યાં સોમવારે શ્રીનગરના સીઆરપીએફ કેમ્પ ઉપર આતંકવાદીઓએ બીજો હુમલો કર્યો છે.
મહત્ત્વની વાત એ છે કે, સીઆરપીએફના જવાનો દ્વારા આતંકવાદીઓને કેમ્પમાં અંદર જતાં રોકી દેવાયા છે. તેઓ એક મકાનમાં ઘૂસેલા છે અને ફાયરિંગ ચાલુ છે. આ અથડામણમાં એક જવાન શહીદ થયો છે. જવાનો આતંકવાદીઓને ઠાર મારવા પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે સ્થાનિકો દ્વારા જવાનો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
Dolphins In Indian River: ભારતની નદીઓમાં કુલ કેટલી ડોલ્ફિન, જાણો ક્યા રાજ્યમાં છે સૌથી વધુ સંખ્યા ?
Political Controversy: સાઉથમાં ઘટવાની છે બેઠકો, મોદી સરકારની તૈયારીને લઇ યોગેન્દ્ર યાદવની ભવિષ્યવાણી
અગ્નિવીર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ, જાણો રજિસ્ટ્રેશન નમાટે ક્યા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, જુઓ ચેક લિસ્ટ
Youtube પરથી પહેલી કમાણી 45,000 રૂ., હવે દરમહિને કેટલા રૂપિયા કમાઇ રહી છે સીમા હૈદર
Delhi: મહિલા સમૃદ્ધિ યોજના માટે કઇ રીતે બનશે BPL કાર્ડ ? મહિલાઓ જાણી તો તમારા કામની વાત
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
ચેમ્પિયન્સ ટ્રોફી જીતી રોહિત શર્મા પરત ફર્યો, મુંબઇ એરપોર્ટ પર આ રીતે થયું ભવ્ય સ્વાગત
ભૂપેન્દ્ર પટેલની વિકાસ ગાડી ફૂલ સ્પીડમાં! ૬૯ નગરપાલિકાઓને અપગ્રેડ કરાશે, કરોડો રૂપિયાનું બજેટ મંજૂર!
ગુજરાત બળશે! ગરમીથી ત્રાહિમામ પોકારશે લોકો! 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, બે દિવસ માટે ઘરની બહાર નીકળવાનું ટાળો!
આ વેબસાઇટ કૂકીઝ અથવા સમાન ટેકનોલોજીનો ઉપયોગ બ્રાઉઝિંગ અનુભવને વધારવા અને વ્યક્તિગત કરેલી ભલામણોના આધારે કરે છે. અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારી ગોપનીયતા નીતિ સાથે સહમત થાવ છો.