સારું સ્વાસ્થ્ય જાળવવા માટે પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓ ખાવી જરૂરી છે. સ્વાસ્થ્ય જાળવવા માટે વિટામિન્સ પણ જરૂરી છે અને આવું જ એક ફાયદાકારક વિટામિન વિટામિન B12 છે. આ વિટામિનને કોબાલામીન પણ કહેવાય છે. જો શરીરમાં વિટામીન B12 ની ઉણપ હોય તો ત્વચા પીળી પડવા લાગે, વજન ઘટવા લાગે, વારંવાર ભૂખ લાગવી, ઉલ્ટી જેવો અનુભવ થવો, હાથ-પગમાં ખાલી ચડી જવી (Sensation in feet)  અને તે જ સમયે હાથ અને પગ પણ સમયે સમયે સુન્ન થઈ જાય છે. આવી સ્થિતિમાં, સમસ્યા વધે તે પહેલા વિટામિન B12 ની ઉણપને દૂર કરવી મહત્વપૂર્ણ છે. અહીં કેટલીક એવી ખાદ્ય વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે જે વિટામિન B12ની ઉણપને દૂર કરી શકે છે.


માછલી 


માછલીમાં વિટામિન B12 ભરપૂર માત્રામાં જોવા મળે છે. એક કપ અથવા 150 ગ્રામ સાર્ડીનમાં 554 ટકા સુધી વિટામિન B12 હોય છે.


ઇંડા 


ઈંડાની ગણતરી વિટામિન B12ના સ્ત્રોતોમાં પણ થાય છે. ઈંડાને પોષક તત્વોનું પાવરહાઉસ કહેવામાં આવે છે. આનાથી શરીરને વિટામિન B12 અને વિટામિન B2 સારી માત્રામાં મળે છે.


દૂધ 


દૂધને વિટામિન B12નો પણ સારો સ્ત્રોત માનવામાં આવે છે. દૂધમાંથી શરીરને માત્ર વિટામીન B12 જ નહીં પરંતુ સારી માત્રામાં કેલ્શિયમ અને વિટામિન ડી પણ મળે છે.


ચિકન 


ચિકનમાં વિટામિન B12 પણ હોય છે. 75 ગ્રામ ચિકનમાંથી શરીરને 0.3 માઇક્રોગ્રામ વિટામિન બી12 મળે છે. આવી સ્થિતિમાં વિટામિન B12 મેળવવા માટે ચિકન પણ ખાઈ શકાય છે.


ફોર્ટિફાઇડ અનાજ 


વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે ફોર્ટિફાઇડ અનાજ પણ ખાઈ શકાય છે. આ અનાજ ખાવાથી શરીરને વિટામીન B12 ભરપૂર માત્રામાં મળે છે. ફોર્ટિફાઇડ ખોરાક પણ વેગન માટે સારો વિકલ્પ છે.


દહીં


આહારમાં દહીંનો સમાવેશ કરવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દહીં ખાવાથી શરીરને વિટામિન B12, વિટામિન D અને પ્રોબાયોટિક્સ પણ મળે છે જે સ્વાસ્થ્ય માટે સારું છે.    


Monsoon Tips: વરસાદમાં ભેજના કારણે કપડામાંથી આવતી દુર્ગંધને આ રીતે કરો દૂર, અજમાવી જુઓ, આ ટિપ્સ


Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો