Jaggery in Diabetes : ડાયાબિટીસ એક એવો ખતરનાક રોગ છે જેને દવાઓથી સંપૂર્ણપણે નાબૂદ કરી શકાતો નથી. તેથી જ ડાયાબિટીસના દર્દીએ ખોરાક પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ ઘણી વસ્તુઓથી બચવું પડે છે. શુગરના દર્દીઓએ ધ્યાન રાખવું પડશે કે કઈ વસ્તુઓ ખાવાથી શુગર વધે છે અને કઈ વસ્તુઓ ખાવાથી શુગર કંટ્રોલમાં રહે છે. ગોળની વાત કરીએ તો ડાયાબિટીસના દર્દીઓમાં ઘણીવાર મૂંઝવણ રહે છે કે ડાયાબિટીસમાં ગોળ ખાવો જોઈએ કે નહીં. શું ગોળ ખાવાથી શુગર લેવલ વધે છે. આવો જાણીએ આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ. 


 
ગોળમાં શું મળે છે


ગોળને ખાંડનો સારો અને આરોગ્યપ્રદ વિકલ્પ માનવામાં આવે છે. ગોળમાં આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને પોટેશિયમ સારી માત્રામાં જોવા મળે છે. ઓર્ગેનિક ગોળ રસાયણ મુક્ત છે. એટલા માટે ગોળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.
 
ડાયાબિટીસમાં ગોળ ખાવો જોઈએ કે નહીં ?


હેલ્થીફેમ હેલ્થ વેબસાઈટ અનુસાર, કૃત્રિમ ગળપણને બદલે કુદરતી મીઠાશનો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ આનો અર્થ એ નથી કે ડાયાબિટીસના દર્દીઓ માટે કુદરતી સ્વીટનર વધુ સારો વિકલ્પ છે. ઓર્ગેનિક તત્ત્વોથી બનેલો ગોળ સફેદ ખાંડ કરતાં વધુ સારો માનવામાં આવે છે. ઓર્ગેનિક ગોળમાં કેમિકલ અને અન્ય વસ્તુઓ ભેળવવામાં આવતી નથી. જો કે, ગોળ ત્યારે જ ફાયદાકારક રહેશે જ્યારે તેનું મર્યાદિત માત્રામાં સેવન કરવામાં આવે.
 
ડાયાબિટીસના દર્દીઓએ ગોળ કેમ ન ખાવો જોઈએ


100 ગ્રામ ગોળમાં 98 ગ્રામ કાર્બોહાઇડ્રેટ મળે છે અને એટલી જ ખાંડમાં 100 ગ્રામ કાર્બોહાઇડ્રેટ મળે છે. બંને વચ્ચેનો તફાવત માત્ર 2 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સનો છે. આ જ કારણ છે કે આરોગ્ય નિષ્ણાતો ડાયાબિટીસના દર્દીઓને ગોળ ન ખાવાની સલાહ આપે છે.
 
ગોળ-ખાંડ નહી  તો ડાયાબિટીસના દર્દીઓએ શું ખાવું જોઈએ


ડાયાબિટીસના દર્દીઓના આહાર વિશે ન્યુટ્રિશનિસ્ટ્સ કહે છે કે જો મીઠાઈ ખાવાનું ઘણી વખત મન થાય તો  જડી બૂટીવાળી વસ્તુઓ ખાવી જોઈએ. આદુ, તુલસી, તજ જેવી વસ્તુઓનો ગ્લાઈસેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો હોય છે. એટલા માટે તમે તેનું સેવન કરી શકો છો.  


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી છે. કોઈપણ નિયમ, વસ્તુનો અમલ કરતાં પહેલા એક્સપર્ટની સલાહ લો. ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial