Disadvantages Of Lack Of Sleep: સ્વસ્થ શરીર માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. કારણ કે ઉંઘ ન આવવાથી શરીરમાં અનેક બીમારીઓનો ખતરો વધી જાય છે. ઘણા અભ્યાસોમાં ઊંઘની અછતને ગંભીર બીમારીઓ સાથે જોડવામાં આવી છે. આજના વ્યસ્ત સમયપત્રકને કારણે લોકો પૂરતી ઊંઘ લઈ શકતા નથી. જેના કારણે તેઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્વસ્થ રહેવા માટે પુખ્ત વ્યક્તિએ દરરોજ 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ. તમારા મનમાં આ પ્રશ્ન ઓછામાં ઓછો એક વાર તો આવ્યો જ હશે કે વ્યક્તિ કેટલા દિવસો સુધી ઉંઘ્યા વગર જીવી શકે છે. ચાલો જાણીએ આ સવાલનો જવાબ શું છે તે જાણીએ..


વ્યક્તિ કેટલા દિવસો સુધી ઉંઘ્યા વગર જીવી શકે ?


જેમ સ્વસ્થ રહેવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર છે, તેવી જ રીતે ઊંઘની પણ જરૂર છે. વર્ષ 1997માં ઊંઘ પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે 'ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ' દ્વારા આયોજિત એક સ્પર્ધામાં 18 દિવસ, 21 કલાક અને 40 મિનિટ સુધી ઊંઘ ન લેવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. જો કે આ રેકોર્ડના કારણે શરીર પર ઘણી ખરાબ અસર જોવા મળી હતી. આ રેકોર્ડે સાબિત કર્યું છે કે સ્વસ્થ રહેવા માટે ઊંઘ પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે ઉંઘ ન આવવાથી શરીર પર ખૂબ જ ખરાબ અસર પડે છે.


અનેક ગંભીર રોગોનું જોખમ!


તમને જાણીને નવાઈ લાગશે કે ઊંઘની ઉણપ ઘણી ખતરનાક બીમારીઓ સાથે સંબંધિત છે. આના કારણે તમારે ડાયાબિટીસ, સ્ટ્રોક, હૃદય રોગ, મગજની પેશીઓ પર ખરાબ અસર, કેન્સર અને પ્રવૃત્તિનો અભાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખોરાક અને પાણીની જેમ ઊંઘ પર પણ સંપૂર્ણ ધ્યાન આપો. પૂરતી ઊંઘ ન મળવાથી શરીર થાક અનુભવવા લાગે છે. કાર્યસ્થળ પર કામમાં અસર દેખાવા લાગે છે. મૂડ ખરાબ રહે છે. કોઈ કામ કરવાનું મન થતું નથી. તમારું મનપસંદ કામ પણ બોજ જેવું લાગે છે.


Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો