ખરાબ જીવનશૈલીની સાથે સાથે ખાવાની આદતોની સીધી અસર લીવર પર પડે છે. જો લીવરને કોઈ પ્રકારનું નુકસાન થશે તો તમને સંકેત મળવા લાગશે. લીવર (Liver ) આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી (Organ ) એક છે. તમે તેને શરીરનું (Body ) ફિલ્ટર કહી શકો છો, જે શરીરમાંથી ઝેર દૂર કરવામાં મદદ કરે છે. વાસ્તવમાં, લીવર પાચનને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તે ઝેરને ફિલ્ટર કરે છે અને તેને શરીરમાંથી દૂર કરવામાં મદદ કરે છે. 


જો લીવર તેનું કામ કરવાનું બંધ કરી દે તો શું થાય ? ખરેખર, આજની બગડતી લાઈફસ્ટાઈલ આપણા લીવરને નુકસાન પહોંચાડી રહી છે. જેમ કે ઉચ્ચ ચરબીયુક્ત ખોરાક, આલ્કોહોલનું સેવન અને પ્રોસેસ્ડ ફૂડ બધુ જ લીવરને નુકસાન કરે છે.  આ બધા સિવાય કેટલીક અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સ્થિતિઓ પણ લીવર ફેલ થવાનું કારણ બને છે. આવી સ્થિતિમાં, તમારે લિવર ફેલ્યોરના તે બધા લક્ષણો વિશે જાણવું જોઈએ, જે ઘણીવાર સામાન્ય લાગે છે અને જેને આપણે અવગણીએ છીએ. તો ચાલો જાણીએ તેના વિશે. 


બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને ખાવાની ખરાબ ટેવોની સીધી અસર લીવર પર પડે છે. જો કોઈ વ્યક્તિ ખાવામાં બેદરકાર હોય તો તેનો માર લીવરને ભોગવવો પડે છે. પ્રદૂષણ અને ખરાબ જીવનશૈલીના કારણે આજકાલ લીવર ફેલ થવાનું જોખમ વધી રહ્યું છે. લીવર ફેલ થવાથી શરીર પર અનેક પ્રકારના લક્ષણો દેખાય છે. શૌચાલયમાં લોહી આવવું. અચાનક લીવર ફેલ થવાનો અર્થ છે કે લીવર યોગ્ય રીતે કામ કરતું નથી. તે ધીમે ધીમે કામ કરી રહ્યું છે. ક્રોનિક લિવર ફેલ્યોર થવાને કારણે લીવર સંબંધિત અનેક બીમારીઓનો શિકાર બને છે.


જો કોઈને લીવર ફેલ્યોરનો પારિવારિક ઈતિહાસ હોય તો તેણે હંમેશા પોતાની તપાસ કરાવવી જોઈએ જેથી કરીને લીવર ફેલ થવાનું જોખમ ન વધે. લીવરની બીમારીમાં આખા શરીરમાં સોજો આવી જાય છે. જો પેટમાં વારંવાર સોજા કે દુખાવાની સમસ્યા રહેતી હોય તો લીવર સિરોસિસનું જોખમ વધી જાય છે. જો પેટના જમણા ઉપરના ભાગમાં જો વધારે દુખાવો થાય છે તો તે લીવર કેન્સરની નિશાની હોઈ શકે છે. 


લીવરની કાર્યક્ષમતામાં ખલેલ વધવા લાગે છે, તે તમારી પાચન તંત્ર અને તેના કાર્યને અસર કરે છે. એટલે કે, તે સૌથી પહેલા તમારા પાચનને અસર કરે છે. આ કારણે તમે જે પણ ખાઓ છો તે પચતું નથી અને તેના કારણે ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા થાય છે. 


નબળાઈ અને થાક એ લીવર ફેલ્યોરનાં લક્ષણો પૈકી એક છે. કારણ કે જ્યારે લીવરનું કામ પ્રભાવિત થાય છે અને ભોજન યોગ્ય રીતે પચતું નથી ત્યારે શરીરને એનર્જી નથી મળતી, જેના કારણે નબળાઈ અને થાકનો અનુભવ થાય છે.