Burn Myths vs Facts: ઘરનું કામ કરતી વખતે, નાના-મોટા ઘા અથવા ઈજાઓ ઘણીવાર કોઈને કોઈ કારણસર થાય છે. ખાસ કરીને લોકો ઘણીવાર તેલના છાંટા કે અન્ય કોઈ કારણોસર દાઝી જાય છે, જેને તેઓ હળવાશથી લે છે અને તેમની જાતે જ સારવાર કરવાનું શરૂ કરે છે. જો કે, ખોટી માહિતી ઘણીવાર પરિસ્થિતિને ગંભીર બનાવી શકે છે. આવી સ્થિતિમાં, ચાલો નિષ્ણાતો પાસેથી  કેટલીક સામાન્ય માન્યતાઓ અને તેનું સત્ય-  


રોજબરોજનું કામ કરતી વખતે આપણને ઘણી વાર નાની-મોટી ઈજાઓ કે સ્ક્રેચ આવે છે. ખાસ કરીને રસોઇ કરતી વખતે ગરમ તેલના છાંટા ઉડી જવા કે દાઝી જવાની ઘટના બને છે.  લોકો તેને ઘણીવાર હળવાશથી લે છે અને વિશ્વનિય માહિતી વિના ગમે તે લગાવી લે છે.   જે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને બળી જવાના કિસ્સામાં, યોગ્ય માહિતી વિના કરવામાં આવતી વસ્તુઓ તેને ગંભીર બનાવી શકે છે. આજે પણ લોકોમાં દાઝી જવાની સારવાર સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ પ્રચલિત છે, જે તમારા ઘાને ગંભીર બનાવી શકે છે.


માન્યતા 1- દાઝવાની સ્થિતિમાં તરત જ ટૂથપેસ્ટ લગાવવી જોઈએ.


હકીકત-આ સંપૂર્ણપણે એક મિથક છે. દાઝી જવા પર ટૂથપેસ્ટ લગાવવી હાનિકારક  છે. આને કારણે, બળતરા થઇ શકે છે. ઉપરાંત, ટૂથપેસ્ટ લગાવવાથી સોજો  દુખાવો વધી શકે છે અને ચેપનું જોખમ વધી શકે છે.


માન્યતા 2- બળતરાથી રાહત મેળવવા માટે તમારે ઠંડુ પાણી અથવા બરફ લગાવવો જોઈએ.


હકીકત-ઘણા લોકો માને છે કે બળવા પર તરત જ ઠંડુ પાણી અથવા બરફ લગાવવો જોઈએ, કારણ કે તે બળતરા અને દુખાવો ઘટાડવામાં મદદ કરે છે. જો કે, આ પણ સંપૂર્ણપણે ખોટું છે. ઠંડુ પાણી અથવા બરફ હાનિકારક છે, કારણ કે તે પહેલાથી જ બળી ગયેલા વિસ્તારમાં રક્ત પુરવઠાને ઘટાડે છે, જેનાથી ત્વચાને વધુ નુકસાન થાય છે. તેના બદલે, બળી ગયેલી જગ્યા પર સામાન્ય વહેતું પાણી વાપરવું જોઈએ.


માન્યતા 3- દાઝી જવાથી થતા ઘા કે ફોલ્લાઓ તરત જ દૂર કરવા જોઈએ.


હકીકત – આ ધારણા સંપૂર્ણપણે ખોટી છે, કારણ કે જો તમે દાઝી જવાથી થતા ઘા અથવા ફોલ્લાને તરત જ દૂર કરો છો, તો તે ઈજા અને રૂઝ આવવાની પ્રક્રિયાને વધુ જટિલ બનાવે છે. જ્યાં સુધી નવી ત્વચા ન વધે ત્યાં સુધી આ ફોલ્લો રક્ષણાત્મક સ્તર તરીકે કામ કરે છે અને જ્યાં સુધી પ્રશિક્ષિત પ્લાસ્ટિક સર્જન દ્વારા ભલામણ ન કરવામાં આવે ત્યાં સુધી તેને દૂર ન કરવી જોઈએ.


માન્યતા 4- બધા દાઝી જવાની સારવાર સમાન છે.


હકીકત- બર્ન્સને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવે છે - પ્રથમ ડિગ્રી, બીજી ડિગ્રી અને ત્રીજી ડિગ્રી. બર્ન માટે યોગ્ય સારવાર આપવા માટે, તેની ગંભીરતાને સમજવી મહત્વપૂર્ણ છે. ફર્સ્ટ-ડિગ્રી બર્ન સામાન્ય રીતે માત્ર ચામડીના ઉપરના સ્તરને અસર કરે છે અને તેને ઠંડા પાણી અને એલોવેરા જેલથી સારવાર કરી શકાય છે. સેકન્ડ ડિગ્રી બર્ન વધુ ગંભીર છે અને તેને તબીબી સારવારની જરૂર પડી શકે છે. થર્ડ-ડિગ્રી બર્ન સૌથી ગંભીર છે અને તાત્કાલિક તબીબી સહાયની જરૂર છે.


માન્યતા 5-માખણ/તેલ અથવા હળદર દાઝવામાં મદદ કરી શકે છે.


હકીકત:  બળી ગયેલી જગ્યા પર પર માખણ/હળદર અથવા તેલ લગાવવાથી  વધુ નુકસાન થઈ શકે છે. આ બધી વસ્તુઓ ત્વચામાં  ફસાવી શકે છે, જે બર્નને વધુ ખરાબ કરી શકે છે અને ઘાના ચેપને વધારી શકે છે